Abtak Media Google News

ચાર વર્ષ પહેલા યોજનાને રદ્દ કર્યા બાદ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા)એ ફરી એકવાર 76 કિલોમીટર લાંબા સરદાર પટેલ રિંગ રોડને સિક્સ લેન કરવાનો નિર્ણય લીધો છે.  2019માં, રોડ પહોળો કરવાનો પ્રોજેક્ટ રૂ. 200 કરોડ અને તેથી વધુનો અંદાજવામાં આવ્યો હતો.  હાલમાં, એસપી રીંગ રોડ ચાર લેનનો રોડ છે જેની આસપાસ સર્વિસ લેન ચાલે છે.  નવી યોજના હેઠળ, દરેક લેન વર્તમાન 8.5 મીટરની જગ્યાએ 12.5 મીટર પહોળી હશે. આ રોડ અમદાવાદના ઉપનગરીય વિસ્તારોમાં મહત્વની કડી છે.  અંદાજિત 30 લાખ વાહનો દરરોજ આ રોડ પરથી પસાર થાય છે.  રીંગરોડ છ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને 11 રાજ્ય ધોરીમાર્ગોને જોડે છે.  તે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારોને અમદાવાદ સાથે જોડતો એકમાત્ર મુખ્ય માર્ગ છે.

Advertisement

6 નેશનલ હાઇ-વે અને 11 સ્ટેટ હાઇ-વેને જોડતા રોડ પર રોજ 30 લાખ વાહનોની અવર જવર થાય છે

વર્તમાન છ-લેન વિસ્તરણ યોજના મુજબ, ઔડા રસ્તાની બાજુની ડ્રેનેજ સિસ્ટમને સુધારવાની યોજના ધરાવે છે.  આમાં વરસાદી પાણીની નવી લાઈનો અને પંપ નાખવા અને વરસાદી પાણીની લાઈનની સાથે વોક-વે બનાવવાનો સમાવેશ થશે.  રાજ્યના યુડીડી જણાવ્યું હતું કે, “પદયાત્રીઓ અને રસ્તાના ઉપયોગકર્તાઓ માટે સલામતી બહેતર બનાવવા માટે ઔડા રિંગ રોડ પરના મુખ્ય સ્થળો પર પદયાત્રીઓ માટે ઓવરપાસ બનાવવાનું પણ આયોજન કરી રહ્યું છે. વધુમાં, ઓડા રિંગ રોડ પરના તમામ હાલના ફ્લાયઓવરને સિક્સ લેનમાં અપગ્રેડ કરશે.  તે રીંગ રોડ પર વૃક્ષારોપણ પણ કરશે.

સમગ્ર એસપી રીંગરોડને છ માર્ગીય બનાવવાનો રૂ. 200 કરોડનો પ્રોજેક્ટ શરૂઆતમાં 2019માં અમદાવાદ રીંગ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને આપવામાં આવ્યો હતો. પછી, એવું નક્કી કરવામાં આવ્યું કે ક્ધસેશનર હાર્મની એન્જિનિયરિંગ અને ઓડા વચ્ચેના સંયુક્ત સાહસ તરીકે પ્રોજેક્ટને અમલમાં મૂકશે.  રીંગરોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ પણ સદભાવને વર્ષો પહેલા મળ્યો હતો.  પરંતુ ઔડાએ તેના ટોલ વસૂલાત કરારને અગાઉના સંમત સમયગાળા કરતાં સાડા ત્રણ વર્ષ લંબાવવાની એઆરઆઈએલની માંગને નકારી કાઢી હતી.  આનાથી વિવાદ થયો જે જૂન 2021 સુધી ચાલુ રહ્યો અને પ્રોજેક્ટને અટકાવી દેવામાં આવ્યો છે.

 રાજ્યના શહેરી વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

અમદાવાદને એક બાજુથી બીજી બાજુ સુધી જોડતાં સૌથી મહત્વ પૂર્ણ એવા સરદાર પટેલ  રિંગ રોડને ચારમાંથી છ લેનનો કરવા માટેની લાંબા સમયથી માંગ ચાલી રહી છે. જેમાં હવે તેના પર વિચાર શરૂ થયો છે અને એસપી  રિંગ રોડને સિક્સ લેન બનાવવા માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા માટેની સૂચના આપવામાં આવી છે. તેમજ એસપી રિંગ રોડ ની ટ્રાફિકની સ્થિતિના આધારે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જેના માટે આગામી ત્રણ મહિનામાં ફિઝિબિલિટી રિપોર્ટ સબમિટ કરાશે. જેના આધાર પર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અમદાવાદ શહેર ફરતે આવેલ 76 કિલોમીટર નો ચાર માર્ગીય રિંગ રોડ છ માર્ગીય બનશે.

મધ્ય ગુજરાત, ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડે છે એસપી રિંગરોડ

સરદાર પટેલ રીંગરોડ માત્ર અમદાવાદ પૂરતો જ નહીં પરંતુ આ રીંગરોડ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો માર્ગ છે જ્યાંથી પરિવહન ખૂબ જ સરળ બની રહે છે અને લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડતો નથી આ તમામ મહત્વતાને ધ્યાને લઈ સરકારે સરદાર પટેલ રિંગરોડ ને સિક્સલેન કરવાનો નિર્ણય લીધો છે કારણ કે આ રીંગરોડની મહત્વતા માત્ર અમદાવાદ માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.