Abtak Media Google News

વાઘ માટે ફાળવાતા ફંડની ૫ ટકા જેટલી રકમ પણ સાવજને મળતી ન હોવાની દલીલ

ભારતમાં વાઘ, સિંહ, હાથી અને ગેંડાની વસ્તી મુદ્દે હમેશા ગડમલ જોવા મળી છે. વાઘની વસ્તી વધી હોવાનો દાવો તંત્ર દ્વારા યો છે. બીજી તરફ સિંહની વસ્તી પણ ધીમે ધીમે વધી રહી છે. જો કે, વાઘની વસ્તીમાં યેલો વધારો જાહેર કરવામાં તંત્ર તરફી દાખવાતો ઉત્સાહ સિંહની વસ્તી જાહેર કરતી વખતે કેમ ની જોવા મળતો તેવા પ્રશ્ર્નો લોકોને વારંવાર તાં હોય છે. આવા સંજોગોમાં વસ્તી જાહેર કરવા પાછળ પ્રાણીની સંખ્યા અને તેના પર જળુંબતા ખતરાની ટકાવારી જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પ્રાણીઓ પાછળ ફંડની ફાળવણી પ્રાણીઓની સંખ્યા અને તેના જોખમના ગણીત ઉપર આધારીત છે. ભારતમાં જેટલું ફંડ વાઘને બચાવવા પાછળ પાછળવવામાં આવ્યું છે તેટલું ફંડ સિંહની પાછળ વપરાયું ન હોવાનું લોકોનું માનવું છે. વાઘની સરખામણીએ સિંહ પાછળ માત્ર ૫ ટકા જેટલું જ ફંડ ફાળવામાં આવે છે. સંખ્યા વધે તો ફંડ ઘટવા લાગે તેવી માન્યતા છે. માટે સિંહોની સંખ્યા જાહેર કરવા પાછળ ફંડનું રાજકારણ જવાબદાર હોવાનું ચર્ચાય છે.  ફંડના પ્રશ્ર્નના કારણે સાવજોની સંખ્યામાં ધીમી ગતિએ વધારો દર્શાવવામાં આવે છે. હાલની સ્થિતિએ સાવજોની ટેરેટરીનો પ્રશ્ર્ન ઉભો યો છે ત્યારે સાવજોની વસ્તીમાં યેલો વધારો ઝડપી હોવાનું નિષ્ણાંતોનું કહેવું છે.

7537D2F3 1

બીજી તરફ મળતા આંકડાનુસાર સિંહોની વસ્તીમાં છેલ્લા ૪ વર્ષમાં ૭૫૦નો વધારો યો છે. કુલ સંખ્યા ૨૯૭૬ સુધી પહોંચી હોવાનું જાણવા મળે છે. ભારતમાં સિંહ, વાઘ, ગેંડા સહિતના પ્રાણીઓના મોતના કિસ્સામાં ખાસ તપાસ સરકાર દ્વારા તી હોય છે. માટે આ તમામ પ્રાણીઓની વસ્તીના વધારામાં સરકાર દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવે છે. પ્રાણીઓ નામશેષ ન ાય તે માટે ફંડ ફાળવાય છે. પ્રાણીઓના શિકાર કરનાર સામે કડક દંડની જોગવાઈ છે. ત્યારે ફંડની ફાળવણી બાબતે ઘડાયેલા ધારા-ધોરણો તમામ રાજ્યો માટે પાળવા મુશ્કેલ બને છે.  આવા સંજોગોમાં પ્રાણીની સંખ્યાને જાહેર કરવામાં રાજકારણ ખેલાતું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં સાવજોની સંખ્યામાં નોંધપાત્ર વધારો યો હોવાનું પર્યાવરણ પ્રેમીઓનું માનવું છે. વર્તમાન સમયમાં સિંહ રાજકોટના સીમાડે અને ચોટીલા નજીક આવી ચૂકયા હોવાના પુરાવા મળ્યા છે. સિંહની ટેરેટરી જેમ-જેમ વધતી જાય તેમ તેમ તેની સંખ્યામાં પણ બહોળો વધારો યો હોવાનો અંદાજ લગાવી શકાય. ત્યારે સરકારે સાવજના જાહેર કરેલા આંકડા પાછળ ફંડનું રાજકારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેના કારણે આગામી સમયમાં સાવજ માટેના ફંડની ફાળવણી યોગ્ય રીતે ઈ શકે.

દિલ્હી એન.સી.આર.ના રિયલ એસ્ટેટ જુથ પર આવકવેરા વિભાગની તવાઇ

પીછે પડ ગયા ઇન્કમટેકસમ્

૩ હજાર કરોડ ‚પિયાનું કાળુ નાણુ ઝડપાયું

દેશના કરચોરો સામે આકરી તવાળમાં કેન્દ્ર સરકારના આદેશોને પગલે એન.સી.આર. સ્થિત રિયલ એસ્ટેટ જુથ પર ઇન્કમટેકસ વિભાગે પાડેલા દરોડા અને તપાસ દરમિયાન ૩ હજાર કરોડ ‚પિયાનું કાળુ નાણુ મળી આવ્યું હોવાનું સીવીલીટીએ પોતાના નિવેદનમાં સત્તાવાર રીતે જાહેર કર્યુ હતું.

૩૦૦૦ કરોડ ‚પિયાનું અધધધ કાળુ ધન કઇ પેઢી પાસે મળી આવ્યું છે તેની સત્તાવાર ઓળખ આપી નથી પરંતુ આ રેડ ઓરિએન્ટલ ઇન્ડીયા ગ્રુપ પર થઇ હોવાનું અનુમાન લગાવવામાં આવે છે.

આયકર વિભાગ દ્વારા અઠવાડીયે શરુ કરવામાં આવેલી કામગીરી એક જુથના રપ જેટલા ઠેકાણા ઉપર દરોડા પાડી ખાણ ખનીજ બાંધકામ અને ઇન્ફાસ્ટ્રકચર ક્ષેત્રે કામ કરતાં સંસ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાઓમાં ઓછામાં ઓછા અઢીસો કરોડ રૂપિયા નું રોકણ નાણુ પણ મળી આવ્યું હતું જે જપ્ત કરી લેવામાં આવ્યું હતું.

આ જુથે મિલ્કતોના વિનિયમ અને ખરીદ વેચાણમાં પણ કોઇપણ જાતનું ટેકસ ન ભર્યુ હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત ૩.૭૫ કરોડ રૂપિયા ની બીન હિસાબી સંપતિ પણ જપ્ત કરવામાં આવી છે જે જુથ ઉપર દોરડાઓ પાડવામાં આવ્યા છે. તેની પાસે ૩૦૦૦ કરોડ ‚પિયાનું સ્કિલોઝર મળી આવ્યું છે અને આ પેઢી તમામનો કર ભરવા તૈયાર થઇ હોવાનું એક યાદીમાં જણાવાયું છે.

સીબીડીટી આવકવેરા વિભાગ માટે નીતી નિયમો ઘડે છે આ દરોડાઓમાં ૩૦૦૦ કરોડ રૂપિયાનું કાળુ નાંણુ મળી આવ્યા બાદ પેઢીના ૩ર જેટલા બેંક ખાતા પણ સીલ કરી દેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.