Abtak Media Google News

3.07 લાખ કરદાતાઓએ વળતરનો લાભ લેતા રૂ.209 કરોડનો ટેક્સ ભર્યો: કરદાતાઓને વેરો ભરવા અપીલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકિય વર્ષ 2023-24માં એડવાન્સ ટેક્ષ ભરપાઇ કરનાર કરદાતાઓને લાભ આપવા માટે વળતર યોજના ચાલી રહી છે. જેમાં જુન મહિનામાં  5% (માત્ર મહિલા કરદાતાના નામે મિલ્કત હોય તેને વધારાના 5 %) તથા ઓનલાઇન વેબસાઇટ એપથી વેરો ભરપાઇ કરનાર કરદાતાઓને વધારાનું 1 % વળતર આપવામાં આવે છે, આ યોજના 30 જૂન સુધી જ છે અને આ યોજના પૂર્ણ થવામાં માત્ર 3 દિવસ જ બાકી હોઈ વધુમાં વધુ કરદાતાઓને આ યોજનાનો લાભ લેવા મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર આનંદ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આજ દિન સુધી કુલ 3,07,383 કરદાતાઓ 209.41 કરોડ રૂ. ભરપાઇ કરી વળતર યોજનાનો લાભ લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.