Abtak Media Google News

ગુજરાતામાં દાન કરવાની અને સેવાકીય પ્રવૃતિઓને અગ્રીમતા આપી હોય તો તે પટેલ સમાજે આપી છે: સી.આર.પાટીલ

અમદાવાદ ડાયમંડ એસોસિએશન મેડિકલ ટ્રસ્ટ સંચાલિત કાકડીયા હોસ્પિટલ તથા અમદાવાદ બિલ્ડર એસોસીએશનના સહયોગથી કોઠીયા મલ્ટી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટરના વિવિધ પ્રકલ્પો અને વિભાગોનું કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાજી અને રાજયના મુંખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને  ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વલ્લભ કાકડીયાને રજતતુલાથી સન્માનીત કરાયા રજતતુલામાં જે ચાંદીનો ઉપયોગ થયો છે તેની રકમ પણ હોસ્પિટલમાં આપવામાં આવનાર છે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે,અમદાવાદના પુર્વ વિસ્તરાના નાગરીકોને આજથી અદ્યતન હોસ્પિટલ મળી રહી છે. 225 બેડની આ હોસ્પિટલનું લોકાર્પણ યોજાયું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુડ ગવર્નન્સમાં હેલ્થ કેર સેકટરને અગ્રમીતા આપી છે. 25 બેડની હોસ્પિટલ કાકડીય હસ્પિટલ આઇસીયુ સાથે શરૂ થઇ હતી જેનું 2007માં નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે  અદ્યતન સુવિધા સાથે 225 બેડની સુવિધા કરવામાં આવી છે.

અદ્યતન સાધનો સાથે હોસ્પિટલમાં મુકવામાં આવ્યા છે જેનો દર્દીઓને ઝડપથી સ્વાસ્થય કરવામાં મદદ મળશે. કોરોના મહામારીમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં આપણને કોરોના મહામારીને હરાવવામાં અને દર્દીઓને બચાવવામાં સફળતા મળી છે. રાજયમાં ઓમીક્રોનના કેસના દર્દીઓને પણ સારવાર મળી રહી છે. આપણે પ્રાર્થના કરીએ કે કોરોનાની ત્રીજી લહેર ન આવે પરંતુ જો આવે તો પણ, આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં મહામારીનો સામનો કરવામા સજ્જ છીએ.

દેશના હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર વધુ મજબૂત અને અત્યાધુનિક કરવા તમામ પગલા લીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના બાળકોને  કોરોનાથી સુરક્ષીત કરવાની મુહિમ શરૂ કરી છે જેમાં  15 થી 18 વર્ષના બાળકોને આગામી 3 થી 9 જાન્યુઆરી દરમિયાન રાજયમાં આશરે 35 લાખથી વધુ બાળકોને કોરોનાની રસી આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, કોઇ એક હોસ્પિટલમાં નિર્માણ માટે દાનવિરો શોધવાની જરૂર ન પડે દાનનો અવિરત પ્રવાહ વહી શકે તેનો રેકોર્ડ સુરતને જાય છે અને આખા ગુજરાતમાં એનો રેકોર્ડ પટેલ સમાજના નામે  છે. ગુજરાતમાં દાન કરવાની અને સેવાકીય પ્રવૃતિઓને અગ્રીમતા આપી હોય તો તે પટેલ સમાજે આપી  છે. અને એટલે જ આવી હોસ્પિટલનું નિર્માણ થઇ શકયુ છે. આ વિસ્તાર ના લોકોને આ અદ્યતન સુવિધાથી સજ્જ હોસ્પિટલનો લાભ મળશે તે બદલ હોસ્પિટલના ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવ્યા.

દર્દીને તમામ પ્રકારની સુવિધા આ હોસ્પિટલમા મળી રહેશે. કોરોનાથી બચવા પુરતી કાળજી રાખવા પણ આગ્રહ કર્યો. કોરોનાના કપરા કાળમાં દર્દીઓને બચાવવા કેન્દ્ર સરકાર દ્વારા ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેકશનની વ્યવસ્થા કરી.સંભવીત ત્રીજી લહેરને રોકવા કેન્દ્ર સરાકાર અને રાજય સરાકારના સુચનાનું પાલન જો કરીશું તો તેનાથી બચી શકવામાં સફળતા મળશે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ભારતના જરૂરિયાતમંદ નાગરિકોને અનાજ મળી રહે તેની કાળજી રાખી છે.

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા, કેન્દ્રીય ડેરી ઉધોગમંત્રી પરષોત્તમભાઈ રૂપાલા, રાજયના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી અને રાજયના આરોગ્યમંત્રી રૂષિકેશ પટેલ તેમજ હોસ્પિટલના દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.