Abtak Media Google News

સુરેન્‍દ્રનગર ખાતે પ્રધાનમંત્રી કૌશલ્‍ય કેન્‍દ્રનો આજે લોકસાભાના સાંસદશ્રી દેવજીભાઇ ફતેપરાના હસ્‍તે રીબન કાપી ખુલ્‍લુ મુકાયું હતું.

આ પ્રસંગે સાંસદશ્રી દેવજીભાઇ ફતેપરાએ ઉદ્દબોધન કરતા જણાવ્‍યું હતું કે પ્રધાનમંત્રી કૌશલ્‍ય વિકાસ યોજના અંતર્ગત ભારતના દરેક જિલ્‍લા દિઠ એક પ્રધાન મંત્રી કૌશલ્‍ય કેન્‍દ્રની સ્‍થાપના કરવામાં આવી છે. આ કૌશલ્‍ય કેન્‍દ્રમાં વર્ષ-૨૦૨૨ સુધીમાં ૨૪ લાખ યુવક-યુવતીઓને તાલીમ આપીને તેમને રોજગારી આપવાની સરકારની નેમ છે.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે ભારત સરકારની આ કૌશલ્‍ય વિકાસ યોજના અંતર્ગત સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં શરૂ થયેલ પ્રધાનમંત્રી કૌશલ્‍ય કેન્‍દ્ર ખાતે આધુનિક સુવિધા સાથે વિવિધ તાલીમ આપવામાં આવશે. જિલ્‍લાના બેરોજગાર યુવાનો- યુવતિઓએ ટુંકાગાળાની તાલીમનો લાભ લઇ સ્‍વરોજગારી મેળવી સ્‍વાવલંબી બનવા ઉપસ્‍થિતોને અનુરોધ કર્યો હતો.

Dsc 1155આ પ્રસંગે સુરેન્‍દ્રનગર નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી જીજ્ઞાબેન પંડયા, જનરલ મેનેજરશ્રી ગજેન્‍દ્ર સોલંકી તથા સેન્‍ટર મેનેજરશ્રી અતુલ ચતુર્વેદીએ કાર્યક્રમની સવિસ્‍તાર રૂપરેખા આપી પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્‍યું હતું કે સુરેન્‍દ્રનગર ખાતે પ્રધાનમંત્રી કૌશલ્‍ય કેન્‍દ્ર ખાતે હાલ સિલાઈ મશીન ઓપરેટર, ઈન્‍વેન્‍ટરી કલાર્ક, પ્‍લમ્‍બર જનરલ, ફીટર સ્‍તર, સંતુલન ગોઠવણી, ઓટોમોટીવ સર્વિસ ટેકનીશીયન (ટુ અને થ્રી વ્‍હીલર) આમ પાંચ પ્રકારની કૌશલ્‍ય તાલીમ આપવામાં આવશે. જેનો ૧૮ થી ૩૫ વર્ષના કોઇપણ વ્‍યક્તિ લાભ લઇ શકશે. તો આ કેન્‍દ્ર ખાતે શરૂ કરવામાં આવેલ પાંચ પ્રકારની ટુંકી મુદતની તાલીમનો લાભ ઉઠાવવા અનુરોધ કર્યો હતો.

સાંસદશ્રી દેવજીભાઇ ફતેપરા તેમજ ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું. આ પ્રસંગે પી.એસ.આઇ.શ્રી વી.બી. કલોતરા, એન.એસ.ડી.સી.ના સ્‍ટેટ કો- ઓર્ડીનેટરશ્રી રાકેશકુમાર સહિત બહોળી સંખ્‍યામાં તાલીમાર્થીઓ ઉપસ્‍થિત રહયા હતાં.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.