Abtak Media Google News

સુપ્રીમ કોર્ટે દેશભરમાં વધતા જતા કોરોનાના કેસો વચ્ચે દવાઓ અને, ઓક્સિજનની કટોકટી થતા કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે સરકાર પાસે કોરોના વાયરસ સામે લડવાની શું યોજના છે તે અંગે ખુલાસો કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આ નોટિસ હાઈકોર્ટમાં કોરોના સંબંધિત કેસોની સુનાવણીને ધ્યાનમાં રાખીને જારી કરી છે.

સુપ્રીમ કોર્ટે ઓક્સિજન અને દવાઓના સપ્લાય અંગે પણ કેન્દ્ર પાસે જવાબો માંગ્યા છે. કોર્ટે કેન્દ્રને કોરોના સામે લડવાની રાષ્ટ્રીય રીતે તૈયાર કરેલી યોજના જણાવવાનું કહ્યું છે. સુપ્રીમ કોર્ટે ચાર મુદ્દા પર કેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે, ‘સરકાર પાસે ઓક્સિજન સપ્લાય કરવાની શક્તિ હોવી જોઈએ, આવશ્યક દવાનો પુરવઠો હોવો જોઈએ, રસીકરણ અને લોકડાઉન કરવાની પ્રક્રિયા ફક્ત રાજ્ય સરકારને જ હોવી જોઈએ, કોર્ટને નહીં.

મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેએ આ દરમિયાન એમ પણ કહ્યું હતું કે કોરોના સંબંધિત કેસની સુનાવણી હાલમાં દેશના છ ઉચ્ચ અદાલતોમાં થઈ રહી છે. આમાં દિલ્હી, બોમ્બે, સિક્કિમ, કલકત્તા અને અલ્હાબાદ હાઇ કોર્ટનો સમાવેશ થાય છે. મુખ્ય ન્યાયાધીશે આટલી બધી ઉચ્ચ અદાલતોમાં સુનાવણી અંગે કહ્યું, “આ મૂંઝવણ પેદા કરી રહ્યું છે.” લાઇવ લોના સમાચાર મુજબ સુપ્રીમ કોર્ટમાં કેસની આગામી સુનાવણી 23 એપ્રિલ એટલે કે આવતીકાલે થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.