Abtak Media Google News
  • આજે પણ આપણાં જુના શિક્ષકોને કેમ યાદ કરીએ છીએ ?
  • આજે શિક્ષણ વર્ગખંડની ચાર દિવાલોમાંથી બહાર આવીને ઘર, સમાજ અને વિશ્ર્વમાં વિસ્તરી ચુકયું છે : આજના સમયમાં શિક્ષણ પડકાર રૂપ છે, કારણ કે રાષ્ટ્રની સામાજીક અને આર્થિક વ્યવસ્થાની જવાબદારી તેના શિરે છે :  શિક્ષણ આમ જોઇએ તો શૈક્ષણિક વ્યવસાય જ છે
  • ગુરૂ વગર તમે કેટલા પણ સફળ રહો, પણ સર્વશ્રેષ્ઠ નહી બની શકો : શિક્ષણની  પ્રક્રિયામાં શિક્ષકની ભૂમિકા ખૂબ જ અગત્યની હોય : ભવિષ્યના સમાજના કે રાષ્ટ્રના ઘડવૈયા માટે શિક્ષક જ મહત્વની ભૂમિકા ભજવે
  • બાળક પર મા-બાપ પછી સૌથી વધુ પ્રભાવ શિક્ષકોનો હોય: શિક્ષક કર્મયોગીનો હાથ, જ્ઞાનરૂપી આંખો અને ભક્તરૂપી હૃદયનો ત્રિવેણી સંગમ: બાળકના સર્વાંગી વિકાસમાં ઉદ્દીપક તરીકે શિક્ષક જ  કરે છે કાર્ય

એક માતા સો શિક્ષકની ગરજ તફયિ છે, એટલે કે શિક્ષકને ‘માસ્તર’ કહેવાય છે. આજે પણ આપણા જુના શિક્ષકો ખૂબ જ યાદ આવે છે. આ વ્યવસાયમાં પણ વિકાસની હરણફાળ ભરતા તેના સંબોધનમાં ક્રમિક ફેરફારો થયા જેમાં માસ્તર, શિક્ષક, ટીચર, સર આવી ગયું. વર્ષો પહેલા એ ગુરૂ સ્થાને ગુરૂજી કહેવાતા હતા. ગુરૂકુળ આશ્રમમાં ભણાવે તે ગુરૂજી કે ઋષી. મા-બાપનું કાર્ય જયાં પૂર્ણ થાય ત્યાંથી શિક્ષકનું કાર્ય આરંભ થાય છે. તેથી શિક્ષક તેના કાર્યો સંપૂર્ણ સજજ અને સજજતાવાળો હોવો જોઇએ, જો આમ ન બને તો વર્ગ ખંડના બાળકોનું ભવિષ્ય રૂંધે છે બાળક પર મા-બાપ પછી સૌથી વધુ પ્રભાવ શિક્ષકનો જોવા મળે છે. શિક્ષક જ બાળકના જ્ઞાનરૂપી મૂળિયાં મજબૂત કરે છે.

Mother Teaching Son And Helping With Homework At Home, Son Giving High Five To Mother
mother teaching son and helping with homework at home, son giving high five to mother

વિદ્યારૂપી સાથેનું શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કાર્ય ક્ષેત્ર વિશાળ કે શિક્ષણની પ્રક્રિયા વિઘાથીના કેન્દ્ર સ્થાને છે. બાળકોના રસ, રૂચિ, વલણો આધારીત વર્ગખંડની શિક્ષકમાં શકિત, પવિત્રતા, પ્રેમ, જ્ઞાન, શાંતિ અને આનંદ જેવા ગુણો હશે તો જ, તે બાળકોનો આદર્શ બની શકશે, વિઘાર્થીઓ પણ પ્રેરણાં આપનાર શિક્ષક ને વધુ યાદ રાખે છે. વેદમાં પણ એક જગ્યાએ શિક્ષકને ‘માતૃવિદ્’ કહ્યો છે, માતૃ એટલે માર્ગ-ગમન અને વિદ એટલે તેને ખોળનાર. નવી ટેકનોલોજીમાં આજનો શિક્ષક ક્રિએટીવીટી, આઘ્યાત્મિક સાથે ઇમોશનલી અને જ્ઞાની હોવો જોઇએ. દ્રશ્ય શ્રાવ્ય કે ઇન્ફરમેશન ટેકનોલોજીના ઉપયોગથી છાત્રોને જ્ઞાન સભર કરી શકે છે,

બાળક સાથેનું શૈક્ષણીક મનોવિજ્ઞાનનું કાર્ય ક્ષેત્ર વિશાળ કે શિક્ષણની પ્રક્રિયામાં વિઘાર્થીઓ કેન્દ્ર સ્થાને છે. બાળકોના રસ, રૂચિ, વલણો આધારીત વર્ગખંડની શિક્ષણની ગતિવિધી હમેશા સારા પરિણામો લાવે છે, એટલે જ શિક્ષક સજજતાનું વિશેષ મહત્વ છે. શિક્ષક બાળકોનો પ્રેરણાસ્ત્રોત હોવો જરુરી છે. ભૂતકાળમાં શિક્ષકોને ભરપુર આદર મળતો, આજે તો એ સાવ સમાજ ભૂલી ગયો છે. જેમના માથે સમાજનું ભવિષ્ય છે, તે હમેંશા આદરણીય જ હોય છે. શિક્ષક ખુબ જ શ્રઘ્ધાવાન હોય છે, નબળા બાળકોને સબળા બનાવવા માટે તેની સખત મહેનત મૂલ્યાંકન બાદ રંગ લાવે ત્યારે તેનો આનંદ અનેરો હોય છે.

આપણે દર વર્ષે પમી સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરીએ છીએ ,  શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ પણ આપીએ છીએ, પણ આજની ર1મી સદીમાં શિક્ષક પોતાની ભૂમિકા અને જવાબદારીઓ પ્રત્યે સભાન હોવો જોઇએ, આજે તેની ભૂમિકા બદલાય ગઇ છે. તેણે ભાષણ સ્વરુપે માહિતી આપવાની નથી, પણ વિઘાર્થીને સમૃઘ્ધ અને અસાધારણ અનુભવો પુરા પાડવાનાં છે.

આજે તમે જુના શિક્ષકો અને હાલના શિક્ષકો જોવો તો તમને ઘણું પરિવર્તન  લાગશે, ટેકનોલોજી સાથે ભૌતિક સુવિધા વધતા બદલાવ આવ્યો છે. પણ શિક્ષણ અને વિઘાર્થી વચ્ચેનો આદર્શ સંબંધ, પરસ્પર વિશ્ર્વાસ કયારેય બદલાશે નહીં, તેનો ધર્મ જ છાત્રોને જ્ઞાન સભર કરીને શ્રેષ્ઠ નાગરીકોનું ઘડતર કરવાનો છે. વર્ગ ખંડના બધા છાત્રો સાથેનો સંબંધ અને દરેક સાથે તેમનો વ્યકિતગત સંબંધ બન્ને પ્રકારો મહત્વના છે. આજના શિક્ષણમાં ઘણી કચાસ જોવા મળે છે. આજનો શિક્ષક, વાલી અને વિઘાર્થીના ત્રિવેદી સંગમ થકી સફળતા શકય બનાવશે એવું લાગે છે. આજે શિક્ષકે માહિતીના મશીનગનથી વિઘાર્થીઓનો માનસિક ભાર વધારવાનો નથી, પરંતુ વર્ગખંડનો માહોલ જ એવો બનાવવનો છે કે, બાળક જાતે પોતે ભણતો થાય, કોઇપણ વ્યવસાય પછી તે રસપ્રદ હોય કે પડકાર રૂપ, એક વખત એ રોજીંદુ કામ બની જાય પછી કંટાળાની લાગણી જ પકડે છે ,પણ શિક્ષણનો વ્યવસાય આ વાતમાં અપવાદ છે, કારણ કે તે 365 દિવસ સતત સક્રિય રીતે ભણાવે છે.

Mother Teaching Son And Helping With Homework At Home, Son Giving High Five To Mother
mother teaching son and helping with homework at home, son giving high five to mother

આદર્શ શિક્ષક બનવા ‘સજજતા’ પ્રાપ્ત કરવી જરુરી છે. જેમાં હકારાત્મક વિચારો, બાળ મનોવિજ્ઞાનનો અભ્યાસ, પ્રયોગત્મક શિક્ષણ અને પ્રોત્સાહન રૂપી માર્ગદર્શન જેવા તમામ પાસા સાથે નિપુર્ણ હોવું જરુરી છે. એક વાત શિક્ષકે સમજવી જોઇએ કે વિઘાર્થીઓની એકાગ્રતાનો ગાળો એવો હોય છે, માટે તેને છાત્રોને ટૂંકા વિરામો સાથે મૂલ્યાંકન  કરવું જોઇએ, શિક્ષણની વિવિધ ટેકનીકનો શિક્ષક જ્ઞાતા હોવો જોઇએ, પ્રવૃતિ સાથેનું શિક્ષણ સૌથી શ્રેષ્ઠ સાબિત થયું છે. શિક્ષક દરેક ક્ષેત્રે ‘ઓલ રાઉન્ડર’ ની ભુમિકા માટે સજજ રહેતો હોવો જોઇએ.

સાચો શિક્ષક જ બાળકોને જીવન મુલ્ય શિક્ષણ આપે છે. જ્ઞાન સાથે ગમ્મતથી ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા ભારેખમ વિષયો શિક્ષક પોતાની આગવી સ્ટાઇલથી છાત્રોને શીખવે છે. આજનું બાળક ‘ગુગલ’ ની દુનિયાનું જ્ઞાન ધરાવતો હોય છે. અસરકાર વર્ગ  વ્યવસ્થા શિક્ષકનું મુખ્ય હથિયાર છે, તે જેટલું સબળ હશે તેટલું જ શૈક્ષણિક કાર્ય સબળ બનશે. વર્ગ ખંડનો તમામ બાળક કલાસરૂમની દરેક પ્રવૃતિ સાથે ભગ લઈને સબળ બને છે.  માટે વર્ગ ખંડનો તમામ બાળક કલાસરૂમની દરેક પ્રવૃતિ સાથે જોડાય તે અતિ આવશ્યક છે. આજે તો શિક્ષકે વિઘાર્થીના વ્યકિતગત ગુણો અને સ્વભાવથી પરીચિત થશે તો જ, તેના વર્તનમાં ફેરફાર લાવી શકશે.

Mother Teaching Son And Helping With Homework At Home, Son Giving High Five To Mother
mother teaching son and helping with homework at home, son giving high five to mother

આજે આપણે શાળા સંકુલોમાં દરેક શિક્ષક  એક-બીજાથી તેમના જ્ઞાન, શિક્ષણ ટેકનીક જેવી વિવિધ પાસાથી અલગ પડે છે. દરેક વિષય  વાઇઝ અલગ શિક્ષકો શાળામાં હોય છે. સંગીત, ચિત્ર, રમતગમત વિગેરે જેવી સહઅભ્યાત્મિક પ્રવૃતિ માટે પણ તેના નિષ્ણાંતો કાર્યરત હોય છે , છતાં બાળકોનો સર્વાંગી વિકાસ થતો નથી, એ એટલું જ નગ્ન સત્ય છે.

શિક્ષક  બાળકમાં રહેલી વિવિધ છૂપી કલાને શોધીને તેને પ્રોત્સાહીત કરી ને તેનો વિકાસ કરનાર હોવો જોઇએ. વર્ગખંડમાં શિક્ષક બે પ્રકારના સંબંધોમાં જોડાયો હોય, એક તો તેનો સમગ્ર વર્ગના છાત્રો સાથેનો સંબંધ, બીજો દરેક વિઘાર્થી સાથેનો વ્યકિતગત સંબંધ, શિક્ષક વર્ગમાં છાત્રોની વ્યકિતગત દેખરેખ બહુ મહત્વ ધરાવે છે. વિઘાર્થીની ખામી, ખુબી શિક્ષક ખુબ જ સારી રીતે જાણતો હોય છે.

શિક્ષકની સજજતા કેવી હોવી જોઈએ ?

  • શિક્ષક જીવનભર અભ્યાસી હોવો જોઇએ.
  • હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરું છું, જેમાં વિઘાર્થીઓ જાતે શીખે છે.
  • શિક્ષક શીલવાન, પ્રજ્ઞાવાન અને કરૂણાવાન હોવો જોઇએ છે.
  • સાચો શિક્ષક વાણી, વર્તન અને વિચારથી શુઘ્ધ હોવો જોઇએ.
  • શિક્ષકનો દરેક શબ્દ વિઘાર્થીઓ માટે પ્રેરણા મંત્ર બનવો જોઇએે.
  • વર્ગના પ્રત્યેક બાળકના હ્રદયમાં શિક્ષકની છબી ઝીલાતી હોય છે, તે કેવી ઉપસાવવી તે શિક્ષકે નકકી કરવાનું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.