Abtak Media Google News

આજે દરેક વર્ગમાં 10 ટકાથી વધુ છાત્રો ગણન પ્રક્રિયામાં નબળા જોવા મળે છે. વાંચન ગણન અને લેખનમાં અપરિપક્વતા અને ઢ પણાની સમસ્યા માત્ર શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પૂરતી મર્યાદિત નથી,  મોટેરા પણ જીવનના ભણતરમાં ઢ સાબિત થાય તેવી પરિસ્થિતિ છે.  વાંચન, ગણન અને લેખનથી દૂર થતા જઈએ છીએ ભણવામાં હોશિયારી અને બધું શીખવાની જવાબદારી માત્ર વિદ્યાર્થીઓની જ નથી વાંચન ગણન લેખનમાં ઢ માટે સમાજમાં કોણ જવાબદાર છે, તેમાં વિદ્યાર્થીઓ સાથે મોટેરા પણ આવી જાય છે.

Reading.jpg.image .784.410 1

 14 થી 18 વર્ષના 25 ટકા બાળકો ધોરણ બે નું પુસ્તક પણ વાંચી શકતા નથી : સોશિયલ મીડિયાનો આ યુગ યુવા પેઢીને નબળો બનાવી રહ્યો છે : એજ્યુકેશન રિપોર્ટમાં ખુલાસો થયો કે 56 ટકા વિદ્યાર્થીઓ અંગ્રેજી વાંચી શકતા નથી

ગ્રામીણ ક્ષેત્રોમાં પણ સ્માર્ટફોનનો ઉપયોગ એક પડકાર બની ગયો છે રિપોર્ટમાં જોવા મળ્યું કે 95 ટકા ધરોમાં સ્માર્ટફોન હોવાથી વિદ્યાર્થીઓને શિક્ષણમાં રસ ઓછો થઈ ગયો

Oar2 1 છેલ્લા બે દિવસથી  અખબારો-ટીવીમાં વાંચનમાં નબળા બાળકોની  ચર્ચા ચાલી રહી છે. વાંચન-ગણન-લેખન જેવા શિક્ષણનાં પાયાના ત્રણ સ્ટેપમાં  નબળા છાત્રોનો વિકાસ રૂંધાઈ જાય છે.  વર્ષોથી  આ સમસ્યા   શિક્ષણને નડી રહી છે. ખાનગી કે  સરકારી  આવા નબળા બાળકોની સમસ્યા એક સરખી જ  જોવા મળે છે. આજે તો બાળક જોઈને પણ સાચુ લખી શકતા નથી. આરોહ-અવરોહથી નિયમિત  વાંચન સાથે ભાષા અને ગણિત જેવા  વિષયો પર  પ્રારંભથી જ ભાર મૂકવાની જરૂર છે.

આજે શાળામાં ધો.5 થી 8 ના મોટા છાત્રો પણ કડકડાટ  વાંચી શકતા નથી. ઘણી હાઈસ્કુલમાં અભ્યાસ કરતા  ધો.9 ના  છાત્રો સરખુ  વાંચી શકતા નથી. પ.ય,ટ,ડ,ઢ,ઠ, ધ,ઘ, જેવા અક્ષરને ઓળખી શકતા નથી. લેખનની વાત આવે ત્યારે  આવા શબ્દો ખોટા લખે છે. આપણા ગુજરાતમાં  સરકારી હોય કે ખાનગી શાળાના છાત્રોમાં વાંચન સિદ્ધિનો અભાવ  જોવા મળે છે. અંગ્રેજી માધ્યમની શાળાના બાળકોને ગુજરાતી વાંચતા જ નથી આવડતું. ગુજરાતીમાં મોબાઈલ નંબર બોલો તો ના લખી શકે તેને તો આંકડા અંગ્રેજીમાં બોલવા પડે છે.  આપણા ગુજરાતમાં  રહેતા છાત્રોને ગુજરાતી બોલતા કેલખતા ન આવડે તે કેમ ચલાવી લેવાય.

બાળ સંર્વાગી વિકાસનાં પાયામાં વાંચન, ગણન અને લેખન જેવા  ત્રણ સ્ટેપ સમાયેલા છે.આજ દિવસ  સુધી આપણા છાત્રો એમાંજ કાચા હોવાથી તેમનો ઓવરઓલ શિક્ષણ વિકાસ  અટકી  જાય છે.આજે  છાત્ર બરોબર વાંચી નથી શકતો, જોડયા શબ્દો   શુધ્ધ ઉચ્ચારણ સાથે બોલી શકતો નથી. સાદા શબ્દો, કાનાવાળા શબ્દો, જોડયા શબ્દો સાથે  વાકયો, ફકરો લખવાનો બોલવાનો મહાવરો સતત છાત્રોને મળે તોજ બાળકો આ કૌશલ્ય હસ્તગત   કરી શકે છે. ધો.1-2 માં પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન આપીને  ધો.3-4 માં આજ દ્દઢિકરણને કારણે તેનો વિકાસ કરાય છે.556

પાયાના શિક્ષણ કે પ્રાથમિક  શિક્ષણમાં  જો બાળકને વાંચતા લખતા જ આવડતું ન હોય તો તમો તેને પ્રશ્ર્નોના   જવાબ લખતા કેમ કરી શકો, આ સમસ્યા શિક્ષક ને સતત મુંઝવે છે.  સરવાળા-બાદબાકી-ગુણાકાર અને ભાગાકાર શિખવી શકો છો. 1 થી 100 સંખ્યા જ ન ઓળખનારો બાળક ગણન પ્રક્રિયા કેમ કરી શકે. અંકતોરણ-પ્લેકાર્ડ જેવા ઘણાં શૈક્ષણીક રમકડાના માધ્યમથી તમો  બાળકોને ઝડપથી   શિખવી શકો છો હરતા ફરતાં પણ બાળક ગણીત શિખી શકે છે.309Ca77F91B894F83D46Bebe936314F37A7Fc6Bc

જી.સી.ઈ.આર.ટી. દ્વારા વાંચન ગણન-લેખનના માપદંડ  નકકી કરાયા છે.જેમાં મોટા ફકરાનું  વાંચન, આરોહ અવરોહ સાથેનું વાંચન,  અર્થગ્રહણ ફકરાનું વાંચન,  જોડાક્ષર વાળા ફકરાનું   શ્રુતલેખન સાથે ફકરામાં  વિરામ ચિન્હોનો ઉપયોગ સાથે સરવાળા -ભાગાકાર, બાદબાકી ગુણાકાર જેવા વ્યવહારિક દાખલાનો  સમાવેશ છે. શિક્ષણ દ્વારા વાંચન-ગણન-લેખન શીખવી તેનામાં વિવિધ મૂલ્યો વિક્સાવીને, 3 થી 8 નાં તમામ વિદ્યાર્થીઓને ભાષા-ગણિત જેવા વિષયોમાં  નિપુણ બનાવવાનો છે.  ફકરો વાંચીને  તેનો ટુકસાર  ‘સાર લેખન’ માં પોતે જાતે   ભૂલ વગર લખી શકે, એટલો પાવર ફુલ હોવો જોઈએ. નિયમિત લેખન કૌશલ્યના  વિકાસ માટે   ગુજરાતી-હિન્દી-અંગ્રેજી આ ત્રણેય ભાષાની 10 લીટી સતત લખવી જરૂરી છે.Sddefault 1

વાંચન કૌશલ્યનું  મહત્વ ઓછુ આંકી ન  શકાય કે તેની ઉપેક્ષા  કરી શકાય નહીં. વિષયો  દ્વારા જ્ઞાન મેળવવાનું  અસરકારક અને સક્ષમ કોઈ સાધન હોય તો તે છે વાંચન.શરૂઆતમાં વિદ્યાર્થીને ગુણવત્તા યુકત વાંચન પ્રક્રિયાનું અધ્યયન   કરાવવું જરૂરી છે. આ મહાવરો સતત મળવાથી જ કે વાંચનને આધારે જ તે બીજા વિષયોનું જ્ઞાન મેળવવા સમર્થ બને છે. અધ્યયન  પ્રક્રિયામા વાંચન  એક  અગત્યનું  પરિબળ છે. વાંચન આવડત થકી વિદ્યાર્થી સ્વ બળે, સ્વગતિએ, સ્વ અધ્યયન થકી જ આગળ વધી શકે છે.  વાંચન એ જ્ઞાન ભંડારના દ્વાર ખોલવાની ચાવી છે. વાંચન ચાવી એકવાર હસ્તગત થઈ ગઈ પછી કોઈ પણ ક્ષેત્ર કે  વિષયના  જ્ઞાનભંડાર ખોલવામાં સહાયભૂત  બની રહે છે. આના થકી જ  વિદ્યાર્થી કોઈપણ વિષયોના  અધ્યયને અર્થપૂર્ણ બનાવી શકે છે.‘ભાષાનું  મુખ્ય કાર્ય વિચારોના આદાન-પ્રદાનનું  છે. જેનાદ્વારા જ મનુષ્ય જીવન વ્યવહાર  ચલાવે છે’Education Gujarati

નિપુણ ભારત મિશન : વિદ્યાર્થી ધોરણ 3 ના અંત સુધીમાં પાયાની સંખ્યા અને સાક્ષરતા પ્રાપ્ત કરે તેવો લક્ષ્યાંક

નિપુણ ભારત અંતર્ગત 2026/27 સુધીમાં ભારતના દરેક વિદ્યાર્થી ધોરણ 3 ના અંત સુધીમાં પાયાની સંખ્યા અને સાક્ષરતા પ્રાપ્ત કરે એવો લક્ષ્યાંક છે. હાલમાં ધોરણ 1 થી 3 માં કે ઉપલા ધોરણમાં બાળકો વાંચન, ગણન અને લેખનમાં નબળા જોવા મળે છે, જેના ભાગરૂપે આ કાર્યક્રમ સરકારે શરૂ કર્યો છે. નવા સત્રથી જ સ્કૂલ રેડિનેસ કે શાળા તત્પરતા ના કાર્યક્રમો ચલાવાય છે. સમગ્ર યોજના પાયાના શિક્ષણ પર ભાર મૂકવાની છે, અને 3 થી 9 વર્ષના બાળકોને નિપુણ બનાવવાનો હેતુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.