Abtak Media Google News

જુનાગઢના ભવનાથ શ્રેત્રમા આવેલ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે વર્ષોથી તમામ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી થાય છે, પરંતુ આ વખતે પ્રથમ વખત એવું બન્યું કે, કોઈ જેનાચાર્યએ તિરંગો લહેરાવ્યો અને એને સલામી આપી હતી. જૂનાગઢના ઇતિહાસની પ્રથમ ઘટના ગણી શકાય એમ આઝાદીના 77 વર્ષમાં પ્રથ વખત ગિરનાર ક્ષેત્રમાં જૈન સમાજના સિદ્ધ સંત એવા ગોંડલ સંપ્રદાયના પરમ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબ દ્વારા  ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. અને તેમના દ્વારા તિરંગાને સલામી અપાઇ હતી. આ તકે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ગીતાબેન પરમાર, ડે.મેયર ગીરીશભાઈ કોટેચા, જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, જુનાગઢ લઘુમતી સમાજ અગ્રણી એજાજ બાપુ સહિતનાઓએ હાજરી આપી હતી.

Advertisement

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.