Abtak Media Google News

અવાર-નવાર મારમારી પરિવારજનો મારી નાખવાની ધમકી આપ્યાનો પાંચ સામે નોંધાતો ગુનો

જામકંડોરણા તાલુકાના ધોળીધાર ગામે પિતરાઈ બહેન પર બળાત્કાર ગુજાર્યા બાદ પ્રેમલગ્ન કરનાર શખ્સ સહિત પાંચ સામે દુષ્કર્મ અને ધમકી આપ્યાનો ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથધરી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામકંડોરણાના ધોળીધાર ગામે રહેતી આરજુબેન વલ્લભભાઈ ચાવડા નામની પરિણીતાએ પિતરાઈ ભાઈ અને પતિ રવિ કેશુ ચાવડા, વિનુ ચના ચાવડા, રમેશ ભાયા ચાવડા, ભરત ભાયા ચાવડા અને સાગર જેન્તી ચાવડા સામે દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

Advertisement

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરજુબેન ચાવડા અને રવિ કેશુ ચાવડા પિતરાઈ ભાઈ-બહેન થતા હોય અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા રવિ ચાવડા દ્વારા આરજુબેન પર બળાત્કાર ગુજાર્યો હોય બાદ બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા. આરજુબેન દ્વારા પોતાના ઘરે જવાનું કહેતા વિનુ ચાવડા, રમેશ ચાવડા, ભરત ચાવડા અને સાગર ચાવડા દ્વારા તારા પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી અને રવિ ચાવડા અવાર-નવાર નશો કરેલી હાલતમાં મારમારી દુષ્કર્મ આચર્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું. પોલીસે પાંચેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એસ. વી. ગોજીયા સહિતના સ્ટાફે હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.