Abtak Media Google News

ઓસ્ટ્રેલિયા સામે ન્યુઝીલેન્ડની વિકેટ ઉપર સારું પ્રદર્શન કરતાં ટીમને વિજય શંકર પર ભરોસો

ભારતીય ટીમનાં પૂર્વ શુકાની સૌરવ ગાંગુલીએ તામિલનાડુનાં ઓલ રાઉન્ડર વિજય શંકરનાં વખાણ કરતાં અટકયા ન હતા અને આવનારા વિશ્ર્વકપમાં ભારતીય ટીમ માટે તેમનું સ્થાન ખુબ જ મહત્વનું બની રહેશે તેમ પણ જણાવ્યું હતું. ટીમ ચય્યનમાં અંબાતી રાયડુને સાઈડ ઉપર રાખી વિજય શંકરને પસંદ કરતા અનેક પ્રશ્ર્નો ઉદભવિત થયા હતા ત્યારે ટીમ સિલેકટરોએ પણ રાયડુ કરતાં વિજય શંકર ઉપર વધુ ભરોસો દાખવ્યો હતો અને તેની કળાને પ્રોત્સાહિત કરી હતી.

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની વિકેટ ઉપર સારું પ્રદર્શન કરતાં ભારતનાં પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ ભરોસો દાખવ્યો છે કે, ઈંગ્લેન્ડ અને વેલ્સ ખાતે રમાનારા વિશ્વકપમાં વિજય શંકરનું પ્રદર્શન ખુબ જ સરાહનીય રહેશે અને તે ભારતીય ટીમ માટે ખુબ જ ઉપયોગી થશે.

વધુમાં તેણે રીષભ પંથનું ચય્યન ન થતાં તેણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રીષભ પંથે નાસીપાસ ન થવું જોઈએ અને તેને આવનારા સમયમાં પણ ખુબ જ સારી જગ્યા પર રમવાનું પણ થશે. વિશ્વપ ૨૦૧૯ માટે જયારે તમામ ટીમો પૂર્ણત: પોતાની કલા-કૌશલ્યથી રમશે ત્યારે ભારતીય ટીમ તમામ અન્ય ટીમોની સરખામણીમાં પણ શ્રેષ્ઠ માનવામાં આવી રહી છે અને વિશ્ર્વકપ જીતવા માટે પણ તેઓ દાવેદાર હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.