Abtak Media Google News

બાબરીયા કોલોનીના કુખ્યાત શખ્સે સાધુ વાસવાણી રોડ પર રહેતી સગીરા પર કર્યો હુમલો: ભૂતકાળમાં પણ કર્યો હતો આપઘાતનો પ્રયાસ

બાબરીયા કોલોનીમાં રહેતાં નામચીન શખ્સ અડધી ટીકીટે ફરી લખણ ઝળકાવ્યા હતાં. સાધુ વાસવાણી રોડ પર સગીરાના ઘરમાં ઘુસી ’તારે મારી સાથે સબંધ રાખવા જ પડશે’ કહી બેફામ મારમાર્યાનો બનાવ સામે આવ્યો હતો.

Advertisement

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાધુ વાસવાણી વિસ્તારમાં રહેતી એક સગીરા પોતાના ઘરે હતી ત્યારે બાબરીયા કોલીનીમાં રહેતો કાનિયો ટીકીટ અને તેની સાથે અન્ય અજાણ્યાં શખ્સો મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ ઘરે ઘસી ગયા હતાં અને ગાઢ નિંદ્રામાં સુતેલી સગીરાને ’તારી મારે સબંધ રાખવો પડશે’ કહી ઝઘડો કરવા લાગ્યો હતો અને બાદમાં સગીરાને બેફામ ઢીકાપાટુનો મારમાર્યો હતો. દરમિયાન સગીરાના પરિવારજનો દોડી આવ્યા હતાં અને પુત્રીને વધુ મારથી બચાવવા જતાં કાનિયાએ છરી કાઢી સગીરાની માતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો. બાદમાં ઇજાગ્રસ્ત સગીરાને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

વધુમાં સગીરાની માતાએ જણાવ્યું હતું કે, તેની પુત્રી ત્રણ વર્ષ પહેલાં કામે જતી ત્યારે કાનિયાએ કોઈ મારફત તેમના નંબર મેળવી હેરાન કરતો હતો અને કાનિયો ચાર-છ મહિને તેમના ઘરે આવી તેની પુત્રીને હેરાન કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ કાનીયાના ત્રાસથી કંટાળી તેમની પુત્રીએ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. તેમજ સગીરા આસીફ અલી સંધી નામના યુવક સાથે સાત માસથી ફુલહાર કરી સાથે રહેતાં હોવાનું પણ ખુલ્યું હતું. બનાવ અંગે પોલીસે વધું તપાસ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.