Abtak Media Google News

આયુર્વેદ પ્રમાણે પાચન તંત્રએ આપણા શરીરનું સ્વાસ્થ્યનું મુખ્ય કેન્દ્ર છે. આયુર્વેદમાં પાચનતંત્રની શક્તિને વધારવા માટેના ઉપાયો બતાવ્યા છે. આયુર્વેદ અનુસાર ગરમ પાણી પાચન શક્તિમાં વધારો કરે છે. જ્યારે ઠંડુ પાણી ડાઇજેસ્ટીવ સીસ્ટમને ધીમુ કરી દે છે.

ગરમ પાણી પીવાથી ભૂખ પણ વધુ લાગે છે. અને ડાઇજેશન પણ સારુ રહે છે. પાણી પાણી ગળાને પણ સારુ રાખે છે આ ઉપરાંત ગરમ પાણી પીવાથી હીંચકી જેવી સમસ્યા પણ દૂર થાય છે ગરમ પાણી શ્ર્વાસ ફુલાવો, તાવ, શરદી અને ઉધરસ જેવી સમસ્યાને પણ દૂર કરે છે.

ગરમ પાણી પીવાથી આપણા શરીરમાં સ્ટૈમિના વધે છે, બ્લડ સરક્યુલેશન સારુ થાય છે. વજન ઘટાડવામાં પણ મદદ‚પ થાય છે.

આમ ગરમ પાણી પીવાથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે.                                                                                                    

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.