Abtak Media Google News

ભાજપ દ્વારા આજે એસસી મોરચાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્યના 5 આગેવાનોને સ્થાન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

ભાજપના જઈ મોરચાની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત થઈ છે. અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ  આર્ય દ્વારા 31 સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના 5 આગેવાનોને કારોબારીમાં સ્થાન મળ્યું છે. જેમાં દર્શનાબેન વાઘેલા,પુનમભાઈ મકવાણા, આત્મારામ પરમાર અને ભાનુબેન બાબરીયાને સ્થાન મળ્યું છે. આ સાથે ઈશ્વર પરમારનો સ્થાયી આમંત્રિત સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.