Abtak Media Google News

હોટલો અને રેસ્ટોરન્ટ ખુલ્યાની વાતો વાયુવેગે પ્રસરતા હજજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટયા: અહેમદપુર નાકા ઉપર સર્જાય અવ્યવસ્થા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સહેલાણીઓ માટે વીડ એન્ડમાં ફરવા જવા માટે પ્રથમ પસંદગી દિવ હોય છે. જો કે લોકડાઉનમાં માનસીક રીતે થાકેલા લોકો છેલ્લા ઘણા સમયથી દિવ જવાની વાટે હતા. તેવામાં હોટેલો- રેસ્ટોરન્ટો ખુલ્યાની વાતો વાયુ વેગે પ્રસરતા દિવ જવા હજજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડયા છે. જેના કારણે અહેમદપુર નાકા ઉપર અવ્યવસ્થા સર્જાઇ હોવાના અહેવાલો મળી રહ્યા છે.

Advertisement

દિવ જવા ઇચ્છુક લોકો ઘણા લાંબા સમયથી દિવને સંપૂર્ણ અનલોક થવાની રાહ જોઇ રહ્યા હતા. અંતે એ દિવસો આવતા સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓનેા પ્રવાહ દિવ તરફ જઇ રહ્યો છે જેના પગલે દિવ પહેલા આવતા અહેમદપુર નાકા પર હજારો લોકો ઉમટી પડયા હતા જયા સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડયા હતા. ઉલ્લેખનીય છે કે હાલ લોકોની ચીકકાર મેદની દિવમાં ઉમટી પડવાની છે જેથી લોકો દિવ જવા માટે થોડી ધીરજ રાખે તે જ‚રૂરી બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.