Abtak Media Google News

હાથી, અશ્વો, શણગારેલી બગીઓ, બળદગાડાઓ સહિત વાહનોનો વિશાળ કાફલો બેન્ડવાજા અને ડીજે તેમજ ઢોલ નગારા સાથે પરંપરાગત પોશાકમાં યાદવકુળની જાજેરી જાનથી બાળકો શહેરીજનો અભિભૂત

ઉપલેટા શહેરના મો.લા. પટેલ નગર સામે વૃંદાવન ધામમાં દાસી જીવણ સત્સંગ મંડળ અને પોરબંદર મત વિસ્તારના  સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક દ્વારા  જીજ્ઞેશદાદા ની ભાગવત સપ્તાહમાં તા. 29 મેં રવિવારના રોજ ૠક્ષ્મણી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું  જેમાં ક્ધયા પક્ષે આ કથાના મનોરથીઓ હતા જયારે વ25ક્ષે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાણીબેન તથા દાનભાઇ ચંદ્રવાડીયા તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા તથા ચંન્દ્રવાડીયા પરિવાર જોડાયો હતો જેમાં તેમના નિવાસ્થાન ડોબરીયા શેરી ખાતેથી  5000 થી વધુ જાનૈયા સાથેની યાદવકુળની એક જાડેરી જાન નિકળેલ હતી જેમાં આહિર સમાજના તેમજ અન્ય સમાજના ભાઇ-બહેનોએ આહીર સમાજનો પરંપરાગત પોશાકો, સોનાના ઘરેણા પહેરી જાનમાં જોડાયા હતા.

ઉપલેટાના ઇતિહાસમાં ક્યારેય પણ ન નીકળી હોય તેવી આ ઐતિહાસીક જાનમાં શણગારેલ હાથી, અશ્વો, બગીઓ, શણગારેલ બળદ ગાડાઓ, ખુલ્લી જીપો, ટ્રેક્ટર સહિતના વાહનોના વિશાળ કાફલો ડીજે તેમજ ઢોલ નગારા, બેન્ડવાજાના તાલે આ જાન ઉપલેટા શહેરના રાજમાર્ગે ઉપ2 થઇ કથાના સ્થળે પહોંચેલ તે દરમ્યાન રસ્તાઓ ઉ52 ઠેર-ઠેર આ જાડેરી જાન ને જોવા માટે અને તેમાં જોડાવા માટે લોકોના ટોળા ઉમટી પડયા હતા ત્યારે આજના યુગના બાળકો અને મોટા શહેરમાં રહેતા લોકો માટે વર્ષો પહેલા જે રીતે જાન જોડવામાં આવતી તેમાં કરવામાં આવતા શણગારો અને આયોજનો જોવા માટે આકર્ષણ માટેનું કેન્દ્ર બન્યું હતું જેમાં કથા સ્થળે જાન પહોંચતા ક્ધયાપક્ષના રમેશભાઇ ધડુક, હકુભા વાળા, રવિભાઇ માકડીયા, વિપુલભાઇ ઠેસીયા રાહીતના પરિવાર દ્વારા જાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતુ અને બહેનોએ ચોકે-ચોકે અને કથાના સ્થળે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી તેમજ કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકત વિધીથી લગ્નની વિધી કરવામાં આવેલ હતી.કથાકાર જીજ્ઞેશ દાદા પણ બોલી ઉઠ્યા કે આવી જાડેરી જાન વર્ષો બાદ જોવા મળી તે બદલ દાનભાઈ અને નિકુલભાઈ ચંદ્રવાડિયા ની મહેનત રંગ લાવી છે

ઉપલેટામાં યોજાયેલ આ કથામાં આસપાસના પંથકના અનેકો નામાંકીત આગેવાનો, સંતો, મહંતો પધારેલા હોઈ જેમાં મુખ્યત્વે ભવનાથ જુનાગઢ રૂદ્રેશ્વર જાગીરના મહંત પૂ. ઇન્દ્રભારતીબાપુ, ઢાંકના ખ્યાતનામ ગણેશ મંદિરના મહંત પૂ. ભરતગીરીબાપુ, સુપેડી મુરલીમનોહર મંદિરના મહંત રવિદાસબાપુ, નગર પતિ મયુરભાઈ સુવા, છગનભાઈ સોજીત્રા, ગોપાલભાઈ ઝાલાવડીયા, રણુભા જાડેજા, નરેન્દ્રભાઈ સુવા (માસ્તર), અમિતભાઈ શેઠ, ધરણાંતભાઈ સુવા, હરિભાઈ ઠુંમર, જગદીશભાઈ ગણાત્રા, જમનભાઈ ગજ્જર, કિરીટભાઈ પાદરીયા, રમણીકભાઈ લાડાણી, દિપકભાઈ સુવા, ભાવેશભાઇ સુવા, ભેડા સાહેબ, અશોકભાઈ શેઠ, પરાગભાઈ શાહ સહીત જુદી-જુદી જ્ઞાતીના આગેવાનો, અગ્રહીઓ, ઉદ્યોગપતીઓ, રાજનેતાઓ, અધિકારીઓ વિગેરે પધારતા તેમનું પોરબંદર સંસદ રમેશભાઇ ધડુક દ્વારા તેમજ તેમના બન્ને પુત્રો ડો. નિમેષભાઇ અને સાવનભાઇ અને પરિવાર દ્વારા ખેસ પહેરાવી ઉમળકા સાથે ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવેલ હતું ત્યારે બહારથી પધારેલા આગેવાનો દ્વારા પણ રમેશભાઇ તથા પરિવારનું શાલ ઓઢાળી સન્માન કરવામાં આવેલ હતું ત્યારે આ રૂક્ષ્મણી વિવાહમાં શહે2ભ2માં અનેરા ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતુ જેમાં બહેન દિકરીઓ સજી-ધજીને ચણીયાચોલી પહેરીને કથામાં પધારેલા હતા આ સાથે યુવાનો પણ પીળા ઝભ્ભા પહેરી આવેલા આશરે 10 હજારથી વધુની ભાઇ-બહેનોની ઐતિહાસીક વિશાળ હાજરી જોવા મળી.

સાંસદ રમેશભાઈ ધડુકનું મામલતદાર મહાવદીયા દ્વારા સ્મૃતિચિત્ર આપી કરાયું સન્માન

Untitled 1 15

શહેરના આંગણે ધર્મમય પ્રસંગે યોજવા બદલ પોરબંદર મત વિસ્તારના સાંસદ ધર્મપ્રેમી સાંસદ રમેશભાઈ ધડુકનું મામલતદાર જી.એમ. મહાવદીયા દ્વારા ભાગવત દાશી જીવણનું સ્મૃતિ ચિત્ર આપી શાલ ઓઢાડી અદકેરૂ સન્માન  કર્યું હતુ. આ તકેમામલતદાર  કચેરીના નાયબ મામલતદાર રામભાઈ કંડોરીયા, તલાટીમંત્રી મહેશ કરંગીયા તેમજ ભગીભાઈ પણ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.