Abtak Media Google News

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રણ દિવસીય  કાર્યકારીણી  બેઠકનો આવતીકાલથી કચ્છના  ભૂજમાં  આરંભ થઈ રહ્યો છે.જેમાં સંઘ શિક્ષાના અભ્યાસક્રમમાં  બદલાવ કરવા, અયોધ્યામાં  રામમંદિરમાં  રામલ્લલાની સ્થાપના  સહિતના મૂદાઓ પર વિશેષ મનોમંથન કરવામાં આવશે.

સંઘ શિક્ષાના અભ્યાસક્રમમાં બદલાવ, અયોધ્યામાં રામમંદિરમાં રામલ્લલાનું સ્થાપનની ઉજવણી શતાબ્દી વર્ષ સહિતના કાર્યક્રમો અંગે કરાશે મંથન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની   અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક આ વર્ષે  કચ્છના ભૂજમાં આવતીકાલથી ત્રણ દિવસ યોજાશે આ બેઠક તા. 5-6 અને  7

આ બેઠકમાં સંઘની રચના મુજબ રચાયેલા કુલ 45 પ્રાંતમાંથી પ્રાંત સંઘચાલક , કાર્યવાહ , પ્રાંત પ્રચારક , સહ સંઘચાલક , સહકાર્યવાહ અને સહ – પ્રાંત પ્રચારક ભાગ લેશે . આ બેઠકમાં સરસંઘચાલક ડો . મોહન ભાગવત , સરકાર્યવાહ  દત્તાત્રેય હોસબાલે અને સહ સરકાર્યવાહ  ડો . કૃષ્ણગોપાલ , ડો . મનમોહન વૈધ ,  મુકુંદા , અરુણ કુમાર ,  રામદત્ત ચક્રધર અને અખિલ ભારતીય અધિકારીઓ સહિત અખિલ ભારતીય કાર્યકારણી સદસ્યો પણ ઉપસ્થિત રહેશે . આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ , અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ , ભારતીય જનતા પાર્ટી , ભારતીય મજદૂર સંઘ, ભારતીય કિસાન સંઘ સહિત વિવિધ સમવૈચારિક સંગઠનોના નિશ્ચિત થયેલ સંગઠન મંત્રીઓ પણ આ બેઠકમાં ભાગ લેશે.

આ અંગે વધુ  માહિતી આપતાં  આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ  સુનીલ આંબેકરે જણાવ્યું હતું કે , આ બેઠકમાં સંઘના સંગઠન કાર્યની સમીક્ષાની સાથે સાથે પૂણેમાં ગત સપ્ટેમ્બર માસમાં મળેલી અખિલ ભારતીય સમન્વય બેઠકમાં ચર્ચાના વિષયો અને તાજેતરમાં જ પૂજનીય સરસંઘચાલક જી દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિતે કરાયેલા ઉદબોધનમાં ઉલ્લેખિત મુદાઓ પર મુલ્યાંકન તરીકે વિવિધ કાર્યોની સમિક્ષા અને આવશ્યક વિભિન્ન વિષયો પર ચર્ચા કરવામાં આવશે . સમાજના સંદર્ભમાં અપેક્ષિત ફેરફારો વિશે ચર્ચા થશે , તેવી જ રીતે સંઘમાં પણ અપેક્ષિત ફેરફારો વિશે ચર્ચા કરવામાં આવશે . જેમ કે સંઘ શિક્ષા વર્ગના પ્રથમ વર્ષ , દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષનો અભ્યાસક્રમ બદલવાની યોજના ચાલી રહી છે. તે

વિષય પર ચર્ચા કરવામાં આવશે . 2024 માં આવનારા આગામી સંઘ શિક્ષા વર્ગોમાં નવો અભ્યાસક્રમ આપવામાં આવશે . બેઠકમાં 22 જાન્યુઆરી , 2024 ના રોજ અયોધ્યામાં   રામ મંદિરની સ્થાપના સાથે સંબંધિત મુદ્દાઓ અને તેનાથી સંબંધિત દેશભરમાં પ્રસ્તાવિત કાર્યક્રમો પર ચર્ચા કરવામાં આવશે દેશભરના દરેક શહેરો અને ગામડાઓમાં અલગ અલગ મંદિરોમાં વિવિધ કાર્યક્રમોનું આહવાન કરાયું છે , તેના મુદ્દે આ મહત્વપૂર્ણ કાર્યમાં સંઘ કઈ રીતે ભાગ લેશે તેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે અને ત્યારબાદ તમામ સ્વયંસેવકોને સૂચના આપવામાં આવશે અને સમગ્ર સમાજને આ બેઠક બાદ આહવાન કરવામાં આવશે .

2025 માં સંઘ કાર્યને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, 1925 માં દેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કાર્ય શરૂ થયું હતું અને સંઘના સ્થાપક ડો. કેશવ બલિરામ હેડગેવારે આ કાર્યની શરૂઆત કરી હતી , આ કાર્ય 98 વર્ષ સુધી સતત વધતું રહ્યું . 2025 માં 100 વર્ષ થશે, તેથી કાર્ય વિસ્તરણ યોજના પર સતત કામ ચાલી રહ્યું છે. આ કાર્યમાં ઘણા લોકોએ તેમનો સમય આપ્યો છે. શતાબ્દી વિસ્તારકો પણ નીકળ્યા છે. આ વિષય સંદર્ભે જે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા હતા, તેના અનુસંધાને અમે દર છ મહિને અમારી શાખાના કાર્યના વિસ્તરણની સતત સમીક્ષા કરીએ છીએ . આ બેઠકમાં, તે લક્ષ્યાંકની સિદ્ધિ અંગે સમીક્ષા કરવામાં આવશે . આગામી દોઢ વર્ષમાં નિર્ધારીત લક્ષ્યોને કેવી રીતે પ્રાપ્ત કરીશું ? આ અંગે ચર્ચા થશે અને અત્યાર સુધી શું થયું છે તેની સમીક્ષા સાથે તેને વધુ વેગ કેવી રીતે આપી શકાય તે અંગે પણ ચર્ચા થશે .

શતાબ્દી વર્ષના સંદર્ભમાં આવનારા સમયમાં તેને કેવી રીતે સમાજ સમક્ષ લાવવો ? તે વિષય પર પણ ચર્ચા થશે . આદરણીય સરસંઘચાલકજીએ તેમના વિજયાદશમીના સંબોધનમાં શાખાની આસપાસના વિસ્તારમાં સામાજિક પરિવર્તન માટે સતત પ્રયત્નો કરવા આહવાન કર્યું હતું . સામાજિક બદલાવ માટે નિરંતર પ્રયત્નો ચાલી રહ્યા છે , વિશિષ્ટ આહવાન જેવા કે , સામાજિક સમરસતાનો સંદેશ લોકો સુધી લઇ જવો , પર્યાવરણના સંદર્ભમાં વ્યક્તિગત જીવનશૈલી , પાણીની બચત , પ્લાસ્ટિકનો ન્યૂનતમ ઉપયોગ અને સુખી પરિવાર સાથે સમાજની દ્રષ્ટિએ સારા કાર્યો કરવા વાળા પરિવાર કઈ રીતે બને ? સ્વદેશી અને નાગરિક કર્તવ્ય સહિત પાંચ આહવાન કરવામાં આવ્યા હતા . જેના માટે સ્વયંસેવકોએ સમાજને સાથે લઈને આગળ વધવાનું છે , આ તમામ કાર્યોને વેગ આપવા માટે ચર્ચા કરવામાં આવશે . સમગ્ર દેશમાંથી 381 કાર્યકર્તાઓ આવ્યા છે . કાર્યકારી મંડળ બેઠકમાં પૂરા દેશનું પ્રતિનિધિત્વ થઇ રહ્યું છે . જે રીતે દેશમાં સંઘ કાર્ય વિશે ચર્ચા થાય છે , તે જ રીતે જમીની સ્તરના મુદ્દાઓ અને અનુભવોને લગતા વ્યવહારુ મુદ્દાઓ પર પણ ચર્ચા થશે . બેઠક કાલે સવારે 9 કલાકે શરૂ થશે અને 7 મીએ સાંજે 6 કલાકે પૂરી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.