Abtak Media Google News

સાપુતારા-નાસિક રોડ પર એક ખાનગી બસે પલટી મારી જતાં એક બાળક સહિત ત્રણના મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે. એક્સિડન્ટના પગલે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisement

ગાયદર ઘાટમાં બસે પલટી મારી

સાપુતારા-નાસિક રોડ પર સાપુતારાથી સાત કિમી દૂર મહારાષ્ટ્રની હદમાં ગુજરાતની ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ ગુજરાતથી મહારાષ્ટ્રના બોરગાવ કનાશી રોડ પર હતગડ પાસે ગાયદર ઘાટમાં બસે પલટી મારી હતી. બસે પલટી મારતી 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે એક બાળક સહિત ત્રણના મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. અને તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ અને આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.