Abtak Media Google News

બે ભાવનગરના અને એક સુરતના યુવકના મોતી પરિવારમાં શોક: ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

ભાવનગર-અમદાવાદ હાઈ-વે પરના અધેળાઈ અને ભડભીડ વચ્ચે બે મોટરકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક સુરતના અને ભાવનગરના બે યુવાન સહિત ત્રણના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. જયારે નવ જેટલા ઈજાગ્રસ્તોને સારવાર ર્એ ભાવનગર દવાખાને ખસેડાયા હતા.

ભડભીડ રોડ પર ભાવનગરી અમદાવાદ તરફ જતી ઈકો મોટરકાર નં.જીજે૧૮બીએચ-૮૪૪૫ અને ભાવનગર તરફ આવતી કાળા કલરની ડસ્ટન કાર નં.જીજે૪સીઆર-૬૨૯૬ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં અક્રમભાઈ યુનુસભાઈ કુરેશી (વડવાનેરા, ભાવનગર) વાઘેલા હરિભાઈ નારાયણભાઈ તથા સુધીરકુમાર પ્રભાશંકર જાદવ (રહે.સુરત)ને લોહિયાળ ઈજા થતાં ત્રણેના સ્થળ પર જ મોત નિપજયા હતા. જયારે ૯ જેટલી વ્યક્તિઓને ગંભીર ઈજા તાં ૧૦૮ મારફતે ભાવનગર સ્તિ સર ટી.હોસ્પિટલમાં ખસેડાયા હતા.  ભાવનગરના વડવા નેરા વિસ્તારમાંથી યુવાનો ઈકો ગાડીમાં બેસીને અમદાવાદ જવા નીકળ્યા હતા અને અધેળાઈ પહોંચતા સામેથી ધસી આવેલી ડસ્ટન મોટરકારની સાથે અકસ્માત સજાર્યો હતો. અકસ્માતના લીધે હાઈ-વે પર વાહનોનો ચક્કાજામ સર્જાયો હતો. વેળાવદર પોલીસે ટ્રાફિકને હળવો કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.