Abtak Media Google News

સરપંચ સાથે ફરતા હોવાનો ખાર રાખી ચાર શખ્સોએ મારમાર્યાનો નોંધાતો ગુનો

વાંકાનેરના રાતાવીરડા ગામે સરપંચ સાથે ફરતા હોઈ જેનો ખાર રાખી બે મહિલા સહિત ત્રણ વ્યકિતઓને ચાર વ્યક્તિઓ દ્વારા માર મારવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે

Advertisement

આ અંગે મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકા ના રાતાવીરડા ગામે રહેતા ફૂલીબેન સંધાભાઈ ઉકેડિયા એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ સંધાભાઈ મગનભાઈ ઉકેડિયા ગામના સરપંચ સાથે ફરતા હોઈ જે આ કામના આરોપી હીરાભાઈ ભીમાંભાઈ કુણપરા, જોની નાનજીભાઈ કુણપરા, સંજય મનસુખભાઇ કુણપરા,સવશી જાદુભાઈ કુણપરા (રહે તમામ રાતાવીરડા તા.વાંકાનેર જી.મોરબી)વાળાને સારું ન લાગતા આ બાબતનો ખાર રાખી ફરિયાદીના પતિ સંધાભાઈ તથા ફરિયાદી તથા સાહેદ કૈલાશબેન ને ભૂંડાબોલી ગાળો આપી ઢિકા પાટું નો માર મારી મૂંઢ ઇજા કરી હતી ત્યારે આ બાબતે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.