Abtak Media Google News

મોબાઈલ વિશે પુછતા લાગી આવતા ગળાફાંસો ખાધો

વાંકાનેરમાં પરિણિતાનો  આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર ના અમરનાથ સોસાયટીમાં રહેતા અંજુબેન નિલેશભાઈ મુંધવા ઉંમર વર્ષ 21 વાળાએ ગત તારીખ 5 ના રોજ પોતાના ઘરે ઓરડામાં  ગળેફાંસો લગાવી પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે તેમના લગ્નનો ગાળો હજુ પાંચ માસ જ હોય ત્યારે પરિણીતા દ્વારા પોતાના ઘરે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમને બેભાન હાલતમાં સારવાર અર્થે વાંકાનેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બાદ વધુ સારવાર માટે તેમને મોરબી મંગલમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

અત્રે મળતી માહિતી  અજાણ્યો મોબાઈલ હોય જે મોબાઈલ બાબતે તે કોનો છે તે પૂછતા કોઈ જવાબ આપવા બનાવ્યો હોય અને ફોનનો લોક ખોલવા કહેતા પણ યોગ્ય જવાબ નહીં આપ્યો હોય જે બાબતે ઠપકો આપતા તેમને લાગી આવતા પોતાના ઘરે ફસો ખાઈ ગયેલ હોય ત્યારે આ સમગ્ર મામલો વાંકાનેર સિટી પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યારે પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.