વિશ્ર્વભરના લાખો દાઉદી વ્હોરા સમાજના દિવગંત બાવનમાં દાઈ (સર્વોચ્ચ ધર્મગુરુ) ડો.સૈયદના અબુલ કાઈદ જોહર મોહંમદ બુરહાનુદીન સાહેબ (રિ.અ)ની આજે અંગ્રેજી તારીખ મુજબ ૧૦૪મી જન્મજયંતિ હોવાથી લાખો દિલોમાં ધબકતા આ સિતારાને વ્હોરા સમાજ આજે ગર્વભેર યાદ કરશે. ઈ.સ.૧૯૧૪માં દેહવિલય પામનારા માનવતાવાદી ડો. સૈયદના સાહેબએ એક ધર્માચાર્ય તરીકે વ્હોરા સમાજમાં વર્ષો સુધી એક એવી સેવા આપી જેના કારણે સમાજ તંદુરસ્ત બન્યો અને સાથોસાથ ગરીબ, બેરોજગારને પણ બળ મળ્યું તેમણે આરોગ્ય, શિક્ષણ, ધાર્મિકતા, ઈમાનદારી, રહેઠાણ જેવા માનવજીવનને સ્પર્શતા પ્રશ્ર્નો પણ ખાસ ધ્યાન આપ્યું. ખાસ કરીને તેમણે સમાજના લોકોને એક ટકનું વિનામૂલ્યે ભોજન મળી રહે તે યોજનાના અમલથી છેલ્લા છ વર્ષથી વિશ્વના અનેક દેશોના હજારો વ્હોરા પરિવારોને આજે પણ ઘર બેઠા તૈયાર ભોજન મળી રહ્યું છે. આવા માનવતાવાદી સંતની આજે જન્મજયંતિ પ્રસંગે લાખો વ્હોરા અનુયાયીઓ યાદ કરશે
Trending
- નવા લસણની બજારમાં આવક: ગત વર્ષની સરખામણીએ ભાવ ઓછા
- એસ.એફ. એસ. જળસંચય અભિયાનમાં 10,000 ઘરોમાં થશે બોર રિચાર્જિંગ
- આઠ વર્ષના દર્શન પટેલએ ઘ્યાન થકી જોયા વગર પારખવાની પ્રાપ્ત કરી શકિત
- લિફ્ટના મેઈન્ટેનન્સમાં આળસ નોતરી શકે છે જીવલેણ દુર્ઘટના!!!
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મતદાન કરવા ગુજરાત આવશે
- Olympicsની મશાલ Athensથી France જવા રવાના…
- Samsungની Galaxy watch 7 માર્કેટમાં ધૂમ મચાવા તૈયાર…
- બ્લેક ફ્રાઇડે: સેન્સેક્સ અને નિફ્ટીમાં તોતીંગ કડાકા