Abtak Media Google News

જે લોકોની જન્મકુંડલીમાં શનિ- રાહુનો શ્રાપિત દોષ હોય તેમણે આ દિવસે ઉપવાસ કરવાથી થાય છે લાભ

આજે વૈશાખ વદ અમાસની શનિ જયંતિ અને સાથે સોમવતી અમાસ પણ છે આથી આ દિવસે શનિ ગ્રહની ઉપસના તથા પિતૃદેહની ઉપસના તથા મહાદેવજીની ઉપસના પુજા કરવી ઉત્તમ ગણાય.

સોમવારે શનિજયંતિ હોવાથી સવારે વહેલી ઉઠી અને ત્યારબાદ નિત્ય પુજા કર્યા પછી શનિદેવના મંદિરે જવું શનિદેવની મૂર્તિ ઉપર તેલનો અભિષેક કરવો અળદના દાણા ચડાવા ધુપ બત્તી અર્પણ કરવી અળદની બનેલી વાનગી ધરાવી ત્યારબાદ આરતી ઉતારવી અને ત્યાર પછી દશરત કૃત શનિ સ્ત્રોત નો પાઠ કરવો અથવા ૐ શં શનેશ્ર્વરાયનમ: મંત્રના જપની 1 અથવા 3 માળા કરવી.

શનિકૃપા મેળવા માટે તથા નાની મોટી પનોતી માંથી રાહત મેળવા માટે કાળો ધાબળો કાળુ અથવા બ્લુ વસ્ત્ર તથા સ્ટીલનું વાસણ કાળા અળદ પગરખા કાળી છત્રી તેલનું દાન કરવું ઉત્તમ ફળદાયક ગણાય  દાન માટેનો શુભ સમય: સોમવારે સવારે 6.04 થી સાંજે પ વાગ્યા સુધી કરી શકશે.

  • શનિદેવની લાભદાયી પૂજા

આજે હનુમાનજીની પણ ઉપાસના કરવાથી શનિગ્રહના આશીર્વાદ મળે છે. હનુમાનજીને તેલ, અળદ ચડાવા સરસવના તેલનો દિવો કરવો.

  • હનુમાન ચાલીસાના પાઠ કરવા પણ ઉત્તમ ફળદાયક રહેશે

જે લોકોની જન્મકુંડલીમાં શનીક રાહુનો શ્રાપિત દોષ હોય શનિ ચંદ્રનો વિષયોગ હોય શનિ દુષીત હોય તો શનિ જયંતિના દિવસે ઉપવાસ રહી અને શનિદેવતા તથા હનુમાનજીની ઉપસના કરવાથી રાહત મળશે. સોમવતી અમાસના દિવસે મહાદેવજીની ઉપસના કરવી પણ ઉત્તમ ફળદાયક ગણાય છે. આ દિવસે દુધમાં કાળા તલ તથા સાકરનો ભુકકો પધરાવી મહાદેવજીને ચડાવી ૐ નમ: શિવાયના મંત્રની એક અથવા પાંચ માળા કરવી જીવનમાં શાંતિ મળશે.

સોમવતી અમાસના દિવસે પિતૃદેવની ઉપસના કરવી પણ ઉત્તમ ફળદાયક ગણાય છે. સોમવારે સવારે દુધ પાણી અને કાળા તલ મિકસ કરી અને સર્વે પિતૃનું  નામ લઇ અને પીપળે ચડાવું પિપળાની પ્રદક્ષિણા કરવી પીપળા નીચે બેસી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાથી પિતૃઓને મોક્ષ ગતિ મળશે અને પિતૃઓના આશીર્વાદ થકી જીવનમાં સુખશાંતિ આવશે. સોમવતી અમાસના દિવસે પિતૃ તર્પણ કરાવું મહાદેવજીની રૂદ્ર લધુરૂદ્ર કરાવો શનિગ્રહ પુજા કરાવી ઉત્તમ ફળદાયક રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.