Abtak Media Google News

જામનગરના અન્ન અને નાગરિક પુરવઠાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકૂભા)નો આજે જન્મદિવસ છે.

મૂળ જામનગર જિલ્લાના ભાતેલ ગામના હકૂભા પ્રેમાળ સાવભાવના કારણે જામનગરની પ્રજાના દિલમાં વસે છે. તે હમેશા સત્યની રાહ ઉપર ચાલનારા માણસ છે. પ્રજાના પ્રશ્નોનો નિકાલ માટે તે હમેશા તત્પર રહે છે. સામાજિક અને રાજકીય પ્રવૃતિઓમાં તે હમેશા પ્રવુતિમય રહ્યા છે. તેઓ રવિરજ ઇન્ફ્રા પ્રોજેકટ અને ભાગ્ય લક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી પણ છે.

લોકો માટેનો આ પ્રેમ સદા અને અવિરત પણે વરસાવતા જ રહે છે. તેઓ નાથ જાતના ભેદભાવ વગર સમગ્ર જામનગારવાસીઓની સેવા કરતાં જ રહે છે. તેનો નાનામાં નાની વાતને પણ ગંભીરતાથી લઈને તેનો ઝડપી નિકાલ કરવા તત્પર રહે છે. અબતક પરિવાર તેઓને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.