Abtak Media Google News

તા.૨૮.૧.૨૦૨૪ રવિવાર, સંવંત ૨૦૮૦, પોષ વદ વદ ત્રીજ, મઘા નક્ષત્ર, સૌભાગ્ય યોગ, વણિજ કરણ

આજે જન્મેલાંની ચંદ્રરાશિ સિંહ (મ, ટ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : પરિસ્થિતિ ધીમે ધીમે તરફેણમાં આવે, વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે,શુભ દિન.

વૃષભ (બ,વ,ઉ) : નવી વસ્તુની ખરીદી કરી શકો, સુખ સગવડના સાધનો વસાવી શકો, દિવસ આનંદદાયક રહે.

મિથુન (ક,છ,ઘ) : કાર્યમાં સફળતા મળતી જણાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે, સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.

કર્ક (ડ,હ)       : પોઝિટિવ વાણીનો મહિમા સમજી શકો, તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

સિંહ (મ,ટ) : આજના દિવસે કામકાજ માં સફળતા મળે,તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો,પ્રગતિ થાય.

કન્યા (પ ,ઠ ,ણ) : કાર્યમાં થોડો વિલંબ  થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા,બોલવા માં કાળજી રાખવા સલાહ છે.

તુલા (ર,ત) : નવા સંબંધોમાં અને વર્તુળમાં સારું રહે,  સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

વૃશ્ચિક (ન ,ય) : નોકરિયાતવર્ગે કાળજી રાખવી પડે,  સ્ત્રી વર્ગ નેમધ્યમ  રહે,ધીમી પ્રગતિ જોવા મળે,સુંદર દીવસ.

ધન (ધ,ભ,ફ,ઢ ): ઇષ્ટદેવના સ્મરણથી કાર્ય પાર પડે, નસીબ સાથ આપે,ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.

મકર (ખ,જ) : કેટલીક બાબતો મનમાં ખુચ્યા કરે, માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.

કુંભ (ગ ,સ,શ) :રાજનીતિમાં અને જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.

મીન (દ,ચ,ઝ,થ): જીવન પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂરત જણાય, તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં કાળજી લેવી,મધ્યમ દિવસ.

શુક્રને પ્રેમ કરવા ગુરુ ની ત્યાગની ભાવના સમી રાશિ મીન ગમે છે

જન્મકુંડળીમાં ગ્રહોને સમજવા માટે સૌ પ્રથમ ગ્રહોના સ્વભાવને આત્મસાત કરવો જરૂરી બને છે પહેલી નજરે શત્રુ લાગતા દેવગુરુ બૃહસ્પતિ અને દાનવગુરુ શુક્ર વિષે વાત કરીએ તો શુક્ર મહારાજ ગુરુના ઘરની મીન રાશિમાં ઉચ્ચના બને છે! વળી સેનાપતિ મંગળ મહારાજ શનિના ઘરની મકર રાશિમાં ઉચ્ચના બને છે પણ ઉપરછલ્લી મિત્રતા કે શત્રુતા કરતા એકબીજા ના ગુણ તેમને આકર્ષે છે અને શુક્રને પ્રેમ કરવા ગુરુ ની ત્યાગની ભાવના સમી રાશિ મીન ગમે છે જ્યાં શુક્રનો પ્રેમ કોઈ સ્વાર્થ વિના પાંગરે છે અને બધું સમર્પિત કરી દેવાની ભાવના જાગે છે! એ જ રીતે સેનાપતિ મંગળને જો સૈનિકો પાસેથી કામ લેવું હોય તો એ શિસ્ત અને કર્મ અને કર્મપ્રધાનતા શનિની રાશિ મકરમાં જ આવી શકે માટે મંગળ મહારાજ સ્વભાવ ભિન્નતા છતાં શનિની મકર રાશિમાં ઉચ્ચત્વ પામે છે. તો ન્યાયપ્રિય શનિ મહારાજ શુક્રની તુલાનું જ ચિહન ધરાવતી તુલા રાશિમાં ઉચ્ચત્વ પામે છે જેથી બધું સંતુલિત રહી શકે આમ ઘણીવાર સ્વભાવગત મેળાપ ના થતો હોવા છતાં કેટલાક ગુણધર્મ ગ્રહને જે તે રાશિમાં ઉચ્ચત્વ આપે છે અને ત્યાં એ ગ્રહ સારું કાર્ય કરે છે ગુરુ કર્કમાં ઉચ્ચના બનીને સમાજ કલ્યાણના કાર્ય કરે છે અને વ્યક્તિ સમાજના કાર્યમાં રચ્યોપચ્યો રહે છે અને પોતાનો સ્વાર્થ ભૂલી જાય છે જેથી તેના અંગત જીવનમાં ઘણા સવાલ ઉભા થતા પણ જોવા મળે છે!!!

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

      ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.