Abtak Media Google News

તા. ૨.૩.૨૦૨૪ શનિવાર ,સંવંત ૨૦૮૦, મહા વદ છઠ, વિશાખા નક્ષત્ર, વ્યાઘાત  યોગ, વિષ્ટિ  કરણ

આજે સવારે ૮.૧૭ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ તુલા (ર,ત) ત્યારબાદ વૃશ્ચિક (ન,ય) રહેશે

મેષ (અ,લ,ઈ) : નજીકના ક્ષેત્રો માં મધ્યમ રહે પરંતુ  દૂર દેશ થી સારા સમાચાર મળે,આગળ વધવાની તક મળે.

વૃષભ (બ,વ,ઉ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,નવા મિત્રો બનાવી શકો,શુભ દિન.

મિથુન (ક,છ,ઘ) :  તબિયતની કાળજી લેવી,ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે,જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે .

કર્ક (ડ,હ)   :પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્ત કરી શકો , આનંદદાયક  દિવસ .

સિંહ (મ,ટ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,પ્રોપર્ટી અંગે યોગ્ય  નિર્ણય કરી શકો, દિવસ લાભદાયક રહે.

કન્યા (પ ,ઠ,ણ) : મિત્રોની મદદ થી કાર્ય થાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે,પરિવાર સાથે આનંદ કરી શકો.

તુલા (ર,ત) :  તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય,એકધારા પ્રયત્નોથી સફળતા મળે,  આગળ વધી શકો .

વૃશ્ચિક (ન,ય) : નોકરી ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે,દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં નુકસાની ના જાય એ જોવું,ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસ માં કાળજી રાખવી. મધ્યમ દિવસ.

મકર (ખ,જ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,લેખન વાંચન મંથન થી આનંદ મળે.રચનાત્મક કાર્ય કરી શકો.

કુંભ (ગ ,સ,શ) :વેપારીવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે. નોકરિયાતવર્ગે સમજી ને ચાલવું.

મીન (દ,ચ,ઝ,થ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય,ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો.

–દસ મહાવિદ્યા સાધના જીવનના તમામ સુખ આપનારી છે

કર્મના પ્રધાન ગ્રહ દંડનાયક અને રાજનીતિ પર આધિપત્ય ધરાવતા શનિ મહારાજ હાલ અસ્તના ચાલી રહ્યા છે અને આ જ દરમિયાન ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે શનિ મહારાજ ૧૮ માર્ચ સુધી અસ્તના છે અને એ દરમિયાન સાંસદ માટે ઉમેદવારોની પસંદગી થનારી છે જે સૂચિત કરે છે કે અસ્તના શનિ વચ્ચે અનેક ઉલટફેર જોવા મળશે અને ના વિચાર્યા હોય એવા ઘણા સમીકરણો સામે આવતા જોવા મળે વળી અનેક તાલમેલ તૂટતાં અને જોડાતા જોવા મળશે! ગોચર ગ્રહો પછી સાધનાની વાત કરીએ તો જ્યોતિષ વિષયકના મારા પોડકાસ્ટ પછી ઘણા મિત્રોએ સાધના અને ખાસ કરીને દસ મહાવિદ્યા સાધના પર રુચિ દાખવી છે આમ તો આ બધી સાધના ગુરુગમ્ય છે અને ગુરુની દેખરેખમાં કરવી જોઈએ પણ  દસ મહાવિદ્યા સાધનાનો પરિચય અત્રે આપું છું.  દસ મહાવિદ્યા સાધના જીવનના તમામ ઐહિક સુખ આપનારી છે કલ્યાણકારી છે પરંતુ આ સાધનાઓ ભૂલ રહિત હોવી જોઈએ ! દસ મહાવિદ્યાના નામ કાળી, તારા, ત્રિપુરાસુંદરી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ત્રિપુરાભૈરવી, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલા છે. જેમાં   ત્રિપુરાસુંદરી, ભુવનેશ્વરી, માતંગી, કમલા એ સોમ્ય પ્રકૃતિની દેવીઓ છે જયારે કાલી, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી ઉગ્ર પ્રકૃતિની દેવીઓ છે તો તારા અને ત્રિપુરાભૈરવી  સૌમ્ય-ઉગ્ર પ્રકૃતિની દેવીઓ છે, માટે કર્મની જરૂરિયાત મુજબ આ સાધનાઓનો પ્રયોગ વિવિકપૂર્વક કરી શકાય વળી ગ્રહો મુજબ પણ સાધના કરવાનો ક્રમ છે જેમ કે સૂર્ય માટે માતા માતંગીની સાધના તો ચંદ્ર માટે ભુવનેશ્વરી દેવી મંગળ માટે બગલામુખી જયારે બુધ માટે ષોડશી અને ગુરુ માટે તારા દેવી તો શુક્ર માટે કમલા જયારે શનિ માટે માં કાલી રાહુ માટે છિન્નમસ્તા અને કેતુ માટે માં ઘુમાવતી ની સાધના કરવામાં આવે છે!

—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી — ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.