Abtak Media Google News

તા. ૨૭.૧૦.૨૦૨૩ શુક્રવાર  ,સંવંત ૨૦૭૯ આસો સુદ તેરસ, ઉત્તરાભાદ્રપદા  નક્ષત્ર, હર્ષણ  યોગ,ગર કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ મીન (દ,ચ,ઝ,થ)  રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : વિદ્યાર્થીવર્ગે  વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે,નિર્ણયમાં ઉતાવળ ના કરવી.

વૃષભ (બ,વ,ઉ) : આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

મિથુન (ક,છ,ઘ) : વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,નોકરિયાતવર્ગને પણ સારું રહે, આગળ વધી શકો.

કર્ક (ડ,હ)  : આધ્યત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,ઘણા રહસ્યો પ્રાપ્ત કરી શકો, શુભ દિન.

સિંહ (મ,ટ) : માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું ના થાય,મૂડ વારંવાર બદલાતો જોવા મળે,  મધ્યમ દિવસ.

કન્યા (પ,ઠ,ણ) : મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, દિવસ આનંદદાયક રહે.

તુલા (ર,ત) : ઘણી નવી પરિસ્થિતિમાં થી પસાર થવાનું આવશે, નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો,દિવસ એકંદરે સારો.

વૃશ્ચિક (ન,ય) : વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે,કામગીરી આગળ વધે, પેપરવર્ક કરી શકો .

ધન (ધ,ભ,ફ,ઢ): પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો,કામકાજ માં પ્રગતિ થાય, આપેલ વાયદા પુરા કરી શકો .

મકર (ખ,જ) : તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો,ખુદ માટે સમય પણ ફાળવી શકો,કાર્યમાં સફળતા મળે.

કુંભ (ગ,સ,શ ) : પરિવાર માં સુખ શાંતિ રહે,વ્યક્તિગત રીતે કેટલાક પ્રશ્નો મુન્જાવતા જણાય ,ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.

મીન (દ,ચ,ઝ,થ): ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને,સામાજિક રીતે તમારી સ્વીકૃતિ વધે, શુભ દિન .

–અકસ્માતો, આગજની અને ક્રૂર બનાવોની શૃંખલા જોવા મળી રહી છે

અત્રે લખ્યા મુજબ અકસ્માતો, આગજની અને ક્રૂર બનાવોની શૃંખલા જોવા મળી રહી  છે તો ઉશ્કેરાટની પરકાષ્ઠામાં અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે વળી અત્રે લખ્યા મુજબ શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે શરદ પૂર્ણિમા પર આવી રહેલા ચંદ્ર ગ્રહણ વખતે મંગળ બુધ અને ગુરુ પણ પણ યુતિ પ્રતિયુતિમાં હોવા થી અસર પામી રહ્યા છે અને તેથી જ સાયબર ફ્રોડ, ક્રિપ્ટો કરન્સી અને આર્થિક કૌભાંડોની સીઝન પુરબહાર ખીલી છે. ગુરુ સાથે હોવાથી ધાર્મિક ઉન્માદ વધે છે જયારે મંગળ સાથે હોવાથી યુદ્ધના હાલત વધુ ખરાબ થાય છે અને મન પર ગુસ્સો અને ઉશ્કેરાટ હાવી થતા જોવા મળે છે જેમાં વ્યક્તિ હત્યા ને અકસ્માત જેવા ક્રાઇમ કરી બેસે છે અને એક સાથે સેંકડો જિંદગીને હોમી દેતો જોવા મળે છે . ચંદ્ર એ મન છે માટે ચંદ્રગ્રહણના દિવસોમાં મન બેચેન રહ્યા કરે વળી લાગણીમાં ઠેસ પહોંચતી જોવા મળે તો કેટલાક સંબંધોમાં વિના કારણ તિરાડ પડતી જોવા મળે. આ સમયમાં ગ્રહોની દ્રષ્ટિએ જોઈએ તો ફૂડ પોઇઝનિંગથી સાવધાન રહેવું જોઈએ તથા કેટલાક કેફી પીણાંની મિલાવટ બાબતે પણ કાળજી રાખવી જોઈએ વળી આ સમયમાં શરાબની ખરાબ ગુણવત્તા તબિયત પર અસર કરનાર કે કાંડ સર્જતી જોવા મળે. ચંદ્ર જયારે વિક્ષિપ્ત થાય છે ત્યારે મન નબળું પડે છે અને મન નબળું પડતા વ્યક્તિ કોઈ વ્યસનનો સહારો શોધે છે જે અંતે તો તેના માટે નુકસાનનો સોદો જ બનતો જોવા મળે છે!!

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.