Abtak Media Google News

તા. ૨૭.૨.૨૦૨૪ મંગળવાર ,સંવંત ૨૦૮૦, મહા વદ ત્રીજ, હસ્ત  નક્ષત્ર, શૂલ   યોગ , વણિજ  કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ  કન્યા (પ,ઠ,ણ)  રહેશ

Advertisement

મેષ (અ,લ,ઈ) : તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં ખ્યાલ રાખવો, વધુ પડતી દોડધામ ટાળવા સલાહ છે.

વૃષભ (બ,વ,ઉ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

મિથુન (ક,છ,ઘ) :  તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય,આજ દિવસે યોગ્ય નિર્ણય કરી શકો.

કર્ક (ડ,હ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય,મિત્રોની મદદ મળી રહે.

સિંહ (મ,ટ) :  તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો,સામી વ્યક્તિ પાસે થી કામ લઇ શકો ,શુભ દિન.

કન્યા (પ ,ઠ ,ણ) : તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો, તમારા કાર્યની સરાહના થાય.

તુલા (ર,ત) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય, યોગ્ય જગ્યા એ નાણાં રોકી શકો .

વૃશ્ચિક (ન ,ય) : વેપારીવર્ગને મધ્યમ રહે, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ ): નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે, વેપારીવર્ગને લાભ થાય,ધંધા રોજગાર માં સારું રહે,પ્રગતિ થાય.

મકર (ખ,જ) : ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.

કુંભ (ગ ,સ,શ) : ભ્રમની સ્થિતિઓમાં થી હવે બહાર આવવાની જરૂર છે, તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

મીન (દ,ચ,ઝ,થ): આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

–લેજન્ડરી સિંગર પંકજ ઉધાસે વિદાઈ લીધી છે

મકરરાશિ માં ઉચ્ચના મંગળ સાથે શુક્ર મહારાજ ચાલી રહ્યા છે અને કેતુની પાંચમી દ્રષ્ટિ મંગળ અને શુક્ર પર આવી રહી છે ત્યારે અત્રે લખ્યા મુજબ ખેલ જગત, સીને જગત અને કલા જગત પ્રભાવિત થાય એ મુજબ સીને અને કલા જગતનું લેજન્ડરી નામ સિંગર પંકજ ઉધાસે વિદાઈ લીધી છે અમરેલી જિલ્લા સાથે સંકળાયેલા અને જેતપુરમાં જન્મેલા પંકજ ઉધાસે તેમને ગાયકીથી સમગ્ર વિશ્વમાં પોતાનું નામ કર્યું હતું! સાતમે સ્વગૃહી ગુરુ ધરાવતા આ કલાકારે નિર્વિવાદ પણે પોતાનું જીવન વિતાવ્યું હતું અને અનેક એવૉર્ડ જીત્યા હતા! ગુરુ કેન્દ્રમાં સ્વગૃહી હંસ યોગની રચના કરે એવી સારી કીર્તિ તેમને પ્રાપ્ત કરી હતી વળી કર્મસ્થાનમાં શુક્ર પરિવાર સ્થાનના સ્વામી થઈને બિરાજે છે જે કુલદીપક યોગ બનાવે છે અને પોતાના ગળા અને પોતાના શ્રેષ્ઠ કર્મથી કુટુંબ  અને કુળને દીપાવનાર બન્યા! ચંદ્ર સાથે શનિ મહારાજ અંદર થી વ્યક્તિને હર્ટ કરે પરંતુ સાથે સાથે રચનાત્મક પણ બનાવે છે જે તેમની ગાયકીમાં વારંવાર જોવા મળતું હતું અને તેમના ગીતો અને ગઝલમાં વતનપ્રેમ અને લાગણીની બાબત વારંવાર ઝલકતી ! બુધ આઠમે બિરાજમાન હોય તેમની દશામાં તેમને મૃત્યુલોક છોડવાનું આવ્યું જે આપણા સૌ માટે ખુબ દુઃખદ બાબત છે પરંતુ તેમણે  ગાયેલા ગીતો અને ગઝલોથી તેઓ હંમેશા આપણી વચ્ચે રહેશે!!

—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.