Abtak Media Google News

તા.૧૪.૧૨.૨૦૨૩ ગુરુવાર  ,સંવંત ૨૦૮૦, માગશર સુદ બીજ, મૂળ  નક્ષત્ર, બાલવ   કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : ભાગ્ય ની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,મહત્વના કાર્ય સ્વર બાજુ કરવા.

વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,દિવસ મધ્યમ રહે.

મિથુન (ક,છ,ઘ) : ભાગીદારીમાં કામ હોય તો લાભ મેળવી શકો,દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

કર્ક (ડ,હ)  : શત્રુઓથી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે,અંગત લોકોમાં મતભેદ રહી શકે .

સિંહ (મ,ટ) : સંતાન અંગે સારું રહે,અંગત સંબંધો સુધારી શકો,મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.

કન્યા (પ,ઠ,ણ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,પ્રોપર્ટી બાબતે નિર્ણય કરી શકો, આગળ વધવાની તક મળે.

તુલા (ર,ત) :  નોકરિયાતવર્ગને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નવા કાર્ય માં લાભ મેળવી શકો.

વૃશ્ચિક (ન,ય) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ): મિત્રોની મદદ મળી રહે,કામકાજ માં સફળતા મળે,દિવસ પ્રગતિકારક રહે.

મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી,બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું,વધુ વિશ્વાસે ના ચાલવું.

કુંભ (ગ,સ,શ ) :સગા સ્નેહી મિત્રો થી સારું રહે,કાર્ય માં પ્રગતિ કરી શકો, નવી દિશા ખુલતી જણાય.

મીન (દ,ચ,ઝ,થ): નવા કાર્ય અંગે  ઠોસ કદમ ઉઠાવી શકો,આશાનું કિરણ જોવા મળે, પ્રગતિકારક દિવસ.

— જલ્દી પ્રસિદ્ધિ મેળવી લેવાની ભૂખ વ્યક્તિને સેલ્ફ હાર્મથી લઇ અસામાજિક કામ કરવા સુધી લઇ જાય છે.

ગ્રહોના રાજા સૂર્ય અને સેનાપતિ મંગળ બંને જ્યેષ્ઠા નક્ષત્રમાં થી પસાર થઇ રહ્યા છે! જ્યેષ્ઠા નક્ષત્ર દૂરગામી યોજનાઓનું નક્ષત્ર છે વળી આ નક્ષત્ર અને રહસ્યો છુપાઈને ચાલનારું છે! આ નક્ષત્રમાં થી સૂર્ય અને મંગળનું ગોચર દેશ વિદેશમાં મહત્વની ઘટનાઓ આપનાર છે જે વિષે અત્રે લખી ચુક્યો છું અને આ દરમિયાન પાક ના ખૈબરમાં તાલિબાની હુમલો થયો છે તો બીજી તરફ ભારતની સંસદમાં ઘૂસણખોરી અને સ્મોક પાવડરથી દુઃખદ અધ્યાય રચવામાં આવ્યો! અને તારીખ પણ ૧૩ ડિસેમ્બર જ પસંદ કરવામાં આવી !!(૧૩-૧૨-૨૦૦૧ અગાઉ સંસદ પર હુમલાની તારીખ!) સંસદ એ લોકશાહીનું મંદિર છે એ જગ્યા પર આ પ્રકારની ઘટનાઓ નિંદનીય છે અને કોઈ પણ વિચારધારાના નામે પોતાની જાતને સમાજ સમક્ષ મોટી કરવાનો પ્રયત્ન કરે તે ચલાવી ના લેવાય! હાલના સોસીઅલ મીડિયાના યુગમાં જલ્દી પ્રસિદ્ધિ મેળવી લેવાની ભૂખ વ્યક્તિને સેલ્ફ હાર્મથી લઇ અસામાજિક કામ કરવા સુધી લઇ જાય છે. કોઈ પણ વિચારધારા હોય તેનો ઉપાય કે ઉકેલ વાતચીત થી હોઈ શકે નહિ કે નિયમોના ઉલ્લઘનથી !! હાલ જયારે ભારત વિશ્વમાં પોતાની આગવી છબી બનાવી રહ્યું છે ત્યારે આ પ્રકારના બનાવો આપણા દેશ માટે યોગ્ય નથી જ નથી અને આ પ્રકારના બનાવોનું પુનરાવર્તનના થાય તે માટે કડક પગલાં લેવાવા જોઈએ! સૂર્ય મહારાજ ૧૬ ડિસેમ્બરના ધન રાશિમાં પ્રવેશ કરશે જે આગામી દિવસોને મહત્વની ઘટનાથી ભરપૂર બનાવી રહ્યા છે!

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી–  ૭૯૯૦૫૦૦૨૮૨–

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.