Abtak Media Google News

તા. ૩.૭.૨૦૨૩ સોમવાર, સંવંત ૨૦૭૯ અષાઢ સુદ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા,વ્યાસ પૂર્ણિમા, મૂળ નક્ષત્ર, બ્રહ્મ યોગ, વિષ્ટિ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : ભાગ્ય ની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,મહત્વના કાર્ય સ્વર બાજુ કરવા.

વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,દિવસ મધ્યમ રહે.

મિથુન (ક,છ,ઘ) : ભાગીદારીમાં કામ હોય તો લાભ મેળવી શકો,દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

કર્ક (ડ,હ) : શત્રુઓ થી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે,અંગત લોકોમાં મતભેદ રહી શકે .

સિંહ (મ,ટ) : સંતાન અંગે સારું રહે,અંગત સંબંધો સુધારી શકો,મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.

કન્યા (પ,ઠ,ણ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,પ્રોપર્ટી બાબતે નિર્ણય કરી શકો, આગળ વધવાની તક મળે.

તુલા (ર,ત) : નોકરિયાતવર્ગને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નવા કાર્ય માં લાભ મેળવી શકો.

વૃશ્ચિક (ન,ય) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ): મિત્રોની મદદ મળી રહે,કામકાજ માં સફળતા મળે,દિવસ પ્રગતિકારક રહે.

મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી,બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું,વધુ વિશ્વાસે ના ચાલવું.

કુંભ (ગ,સ,શ ) :સગા સ્નેહી મિત્રો થી સારું રહે,કાર્ય માં પ્રગતિ કરી શકો, નવી દિશા ખુલતી જણાય.

મીન (દ,ચ,ઝ,થ): નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો,આશાનું કિરણ જોવા મળે, પ્રગતિકારક દિવસ.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

–જીવનનો સાચો અર્થ સમજવા માટે ગુરુ કૃપા જોઈએ

આજરોજ ૩ જુલાઈ ૨૦૨૩ને સોમવાર અને ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા છે. મહર્ષિ વ્યાસને યાદ કરી ગુરુ પૂર્ણિમામાં ગુરુ પૂજન કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં જે ગુરુ શિષ્ય પરંપરા છે અને જે આદર ભાવના છે તે વિશ્વમાં કોઈ સંસ્કૃતિમાં નથી. આપણા તમામ ગૂઢ અને ગહન શાસ્ત્રોને સમજવા તથા જીવનનો સાચો અર્થ સમજવા માટે ગુરુ કૃપા જોઈએ. આ વર્ષે ગુરુ પૂર્ણિમા પર ગુરુની જ રાશિ ધન છે અને બ્રહ્મ યોગ છે જે ગુરુ પૂર્ણિમાને ઓર પ્રભાવી બનાવે છે. જન્મકુંડળીમાં નવમું ભાગ્ય સ્થાન ગુરુ સ્થાન પણ છે માટે જીવનમાં ભાગ્યની ઉન્નતિ માટે સદ્ ગુરુનું સાનિંધ્ય જરૂરી છે.

સદ્ ગુરુના માર્ગદર્શનથી ચાલવાથી જીવનમાં ભાગ્યની ઉન્નતિ થાય છે વળી ભાગ્યને બળવાન બનાવવા માટે ગુરુ પૂર્ણિમા પર સદ્ ગુરુનું પૂજન કરવું જોઈએ તથા તેમનું સન્માન કરવું જોઈએ અને જીવનમાં ગુરુને ઉપયોગી થવાની ભાવના રાખવી જોઈએ જે જીવનમાં ભાગ્યબળની વૃદ્ધિ કરનાર છે. જન્મકુંડળીમાં જયારે ગુરુ મહારાજ નબળા પડતા હોય કે તેમને પાવર આપવાની જરૂર હોય ત્યારે ગુરુ પૂર્ણિમાનું વ્રત કરવું જોઈએ અને ગુરુને જીવનમાં પવિત્ર સ્થાન આપવું જોઈએ.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨–

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.