Abtak Media Google News

તા. ૧.૧૦.૨૦૨૩ રવિવાર , સંવંત ૨૦૭૯ ભાદરવા વદ બીજ, અશ્વિની  નક્ષત્ર, વ્યાઘાત  યોગ, વણિજ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,આગળ વધવાની તક મળે,કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.

વૃષભ (બ,વ,ઉ) : આવક જાવક નો હિસાબ રાખવો પડે,ખર્ચ પર અંકુશ રાખવો,થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.

મિથુન (ક,છ,ઘ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દીવસ રહે.

કર્ક (ડ,હ) : નોકરિયાતવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ છે.

સિંહ (મ,ટ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે .

કન્યા (પ,ઠ,ણ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.

તુલા (ર,ત) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય .

વૃશ્ચિક (ન,ય) : તબિયતની કાળજી લેવી,જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે .

ધન (ધ,ભ,ફ,ઢ): પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્તિ કરી શકો.

મકર (ખ,જ) : તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,વિચારોમાં હકારાત્મકતા આવે , દિવસ આનંદ માં વીતે.

કુંભ (ગ,સ,શ ) : નવા કાર્યમાં આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો .

મીન (દ,ચ,ઝ,થ): તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો,દિવસ શુભ રહે,ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.

–માયાવી રાહુ અને માયાના સંબંધો

અગાઉ લખ્યા મુજબ ડ્રગ્સ ડિલિવરી માટે નવા નવા કીમિયા સામે આવે છે અને પુસ્તકોના પાનાને ડ્રગ્સમાં પલાળી ડિલિવરી કરતી હોવાનું ખુલ્યું છે વળી અત્રે લખ્યા મુજબ ડ્રગ્સના મોટા કન્સાઇન્મેન્ટ દરિયામાર્ગે થતા ખુલ્યા છે અને હજુ પણ વધુ આ રીતના કન્સાઇન્મેન્ટ પકડાતા જોવા મળશે વળી ગુજરાતમાં તેની વિશેષ અસર જોવા મળશે. ગ્રહોમાં છાયાગ્રહ રાહુ અને કેતુ ઋણાનુબંધન દર્શાવતા હોવાથી તેમના રાશિ પરિવર્તન સાથે સંબંધોમાં ઘણા ઉતાર ચડાવ જોવા મળે છે અને ખાસ કરી ને જયારે રાહુ મહારાજ લગ્ને, પાંચમે કે સાતમે થી પસાર થતા હોય ત્યારે મહત્વના સંબંધોમાં તકલીફ જોવા મળે છે. રાહુ રાશિ પરિવર્તન કરે તે પહેલા જ તેની અસર શરુ થઇ જાય છે.

ઓક્ટોબરના અંતમાં રાહુ મહારાજ મીન માં પ્રવેશ કરશે પરંતુ ગઈકાલે જ મારી પાસે કન્યા લગ્નની એક વ્યક્તિ આવી જેના સાત વર્ષના સબંધ પર અચાનક પૂર્ણવિરામ આવી ગયું. વ્યક્તિ ખુબ વ્યથિત હતી અને આ ઘટનાક્રમ તેની સમજણ બહાર હતો….આવા ઘણા કિસ્સાઓ ગયા અઠવાડિયાથી સામે આવવા લાગ્યા કેમ કે રાહુ મીનમાં ઘણા સંબંધોને બાય બાય કરાવે છે. આ કેઈસ સ્ટડી લખવા પાછળનું કારણ એ છે કે હાલના સમયમાં તમને એમ લાગે છે કે તમારા સંબંધો દાવ પર લાગી રહ્યા છે તો તેના માટે રાહુના ઉપાય યોજવા જોઈએ ખાસ કરી ને મીન જળતત્વની રાશિ છે ત્યાં રાહુ આવે ત્યારે જલતત્વ ની સેવા કરવાથી જળચર અને માછલીઓને હિતકારી વસ્તુ ખવરાવવાથી રાહુ મહારાજ શાંત પડે છે અને દરિયાલાલના સ્મરણ થી મીનના રાહુની તકલીફ દૂર થાય છે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.