Abtak Media Google News

પાર્વતીજી જેવું અખંડ સૌભાગ્ય મેળવાવ ગુજરાતી સ્ત્રીઓ કરે છે. કેવડા ત્રીજનું વ્રત :

– અખંડ સૌભાગ્યની કામના માટે ગુજરાતમાં સ્ત્રીઓ ભાદરવા મહિનાની શુક્લપક્ષની ત્રીજે કેવડા ત્રીજનું વ્રત કરે છે.

– આ દિવસ શંકર ભગવાન અને માતા પાર્વતીની પુજાનું વિશેષ મહત્વ હોય છે. સારા વરની પ્રાપ્તિ માટે અપરણિત ક્ધયાઓ પણ આ વ્રત રાખે છે. એવું માનવામાં આવે છે કે શિવજીને પતિ સ્વરૂપ મેળવવા પાર્વતીજીએ આ વ્રત કર્યુ હોવાનું માનવામાં આવે છે.

કેવી રીતે કરવુ આ વ્રત :

– આ દિવસે સ્ત્રીઓ નવા કપડા પહેરી, મહેંદી લગાવી શૃંગાર કરે છે.અને સારા મુહુર્તમાં શિવજી અને પાર્વતીજીની પુજા કરે છે.

– માતા પાર્વતીને આ દિવસે સૌભાગ્યવતીનો બધો જ સામાન ચડાવવામાં આવે છે. સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉંમરની કામના સાથે આ વ્રત કરે છે.

મુહુર્ત :

– આ વર્ષ પુજાનું મુહૂર્ત વહેલી સવારનું છે એક મુહૂર્ત ૫:૪૫થી સવારે ૮.૧૮ સુધી છે. બીજુ સાંજે ૬:૩૦થી રાત્રે ૮:૨૭ સુધીનું છે.

સામગ્રી :

– આ પૂજામાં માતાજીની પ્રતિમા બનાવવા માટે કાળી માટીની ખાસ જરૂર પડે છે. આ ઉપરાંત કેવડો, તુલસી, મંજરી, જનોઇ, વસ્ત્ર અને વિવિધ પ્રકારના ફળ-પાન ચડાવવામાં આવે છે. આ ઉપરાંત શ્રીફળ, અબીલ ચંદન, કપૂર, કંકુ તથા પંચામૃત પણ તમારુ પૂજા માટે જ‚રી છે.

– આ પ્રસંગે માતાજીને મહેંદીનો કોન, વિછીંયા, કાજલ, બિંદી, કંકુ, સિંદુર, કાંસકો વગેરે સૌભાગ્યવતીની  સામગ્રી ચડાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.