Abtak Media Google News

આ વર્ષે ગુરૂવાર અને શનિજયંતીનો શુભ સંગમ થશે. જયોતિષમાં કહેવાય છે કે ગુરૂ એટલે જીવ અને શનિ એટલે શિવ. એટલે કે શનીમાં ધાર્મીકતા આવે છે અને ગુરૂ ગ્રહમાં સંસારની બધી બાબતો આવે છે. આમ ગૂરૂ એટલે સંસાર જીવ અને શનિ એટલે ધર્મ શિવ. આમ આ વર્ષે ગૂરૂવારે શનિ જયંતી હોવાથી જીવ અને શિવનો શુભ સંગમ થશે.

Advertisement

શનિ જયંતીના દિવસે હનુમાનજીની અને શનિગ્રહની પુજા ઉપાસના ઉતમ અને શુભ ફળ આપશે. અને તુરંત ફળ આપે છે. આ દિવસે ઉપવાસ અથવા એકટાણુ કરવું.

હનુમાનજીને તેલ અને સિંદુર તથા અડદના 21 દાણા ચડાવા તથા શનિગ્રહને પણ તેલ ચડાવી શકાય. જો કાળી ગાય મળે તો તેને રોટલી ખવડાવી અથવા તો કોઈ પણ ગાયની સેવા કરવી.

6D55E35Afd48141Fca2C8895Bc70Cb96581B74069F486Bade59Ba17F5C041431 E1623234834511

તે ઉપરાંત જે લોકોની જન્મકુંડળીમાં શની અને ચંદ્રનો વિષયોગ હોય. શની અને રાહુનો શ્રાપિત દોષ હોય, શની નબળો હોયતો આ દિવસે શનિ કવચના પાઠ કરવા તથા હનુમાનજીની ઉપાસના કરવી જેથી રાહત મળશે.

જે લોકોની રાશીધન, મકર અને કુંભ છે તેવોને શનીની મોટી પનોતી ચાલી રહી છે. તથા તુલા રાશીના લોકોને લોઢાના પાયે પનોતી ચાલે છે. આથી આ દિવસે શનિ કવચના પાઠ કરવા 21,31 કે 108 હનુમાન ચાલીસાના પાઠ કરવા હનુમાનજીને તેલ-સિંદુર અડદ ચડાવી પૂજા કરવાથી ઉતમ ફળ મળશે તેમ શાસ્ત્રી રાજદિપ જોષીની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.