Abtak Media Google News

ગાંધીધામમાં અજાણ્યા વાહન ચાલકની હડફેટે ઘવાતા બાઇક ચાલક કાળનો કોળિયો બન્યા

અબતક-રાજકોટ

કચ્છ પંથકમાં જુદા-જુદા બે સ્થળોએ અકસ્માતના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં એક તરુણ સહિત બેના મોત થયા હોવાનું સામે આવ્યું છે. કંડલા મરીનમાં પવનચક્કી લઈ જવાનું ટ્રેલર રિવર્સ આવતા ટ્રોલીમાં ચકદાય જતા એક તરુણનું મોત થયું છે જ્યારે ગાંધીધામમાં અજાણ્યા વાહનની ઠોકરે બાઇક ચાલકનું કાળનો કોળિયો બન્યો હોવાનું સામે આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કંડલા મરીન પોલીસ મથકમાં નોંધાયેલી સીતાબેન ઉમેશભાઈ વર્માએ નોંધાયેલી ફરિયાદ મુજબ કંડલા પોર્ટની જેટી નંબર-15 પાસે તેમનો 16 વર્ષનો પુત્ર આશિષકુમાર ઉમેશભાઈ વર્મા ઉભો હતો ત્યારે જીજે-01-ડીવાય-9609 નંબરના ટ્રેલર ચાલકે પોતાનું વાહકન રિવર્સ લીધું હતું. આ સમયે ટ્રોલી પાછળ ઉભેલો આશિષકુમાર વર્મા ટ્રોલી વચ્ચે ચકદાય જતા ગંભીર ઇજા થતાં કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે ટ્રેલર ચાલક સામે પોતાનું વાહન બેદરકારી રીતે ચલાવવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

તો અન્ય બનાવમાં ગાંધીધામમાં એકતાનગર પાસે વૈભવવિલા સોસાયટીમાં પાસે રહેતા સુલેમાનભાઈ અબ્બાસભાઈ જીગીયાએ નોંધાયેલી ફરિયાદ મુજબ તેમના મોટાભાઈ હાસમભાઈ અબ્બાસભાઈ જીગીયા ગત તા.7મી ડીસેમ્બરના પોતાના મોટરસાયકલ જીજે-12-સિજે-7522 પર ગાંધીધામથી કંડલા જતો હતો ત્યારે કાર્ગો યાદવનગર પાસે સર્વિસ રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા હાસમભાઈનું મોત નીપજ્યું હતું. યુવાનના આકસ્મિક મોતથી પરિવારમાં માતમ છવાયો હતો.

પોલીસે બંને ઘટનાઓની નોંધ કરી જુદા-જુદા બે વાહન ચાલકો સામે ગુનો નોંધી મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપા હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.