Abtak Media Google News

આજી ડેમ પાસે જઈ ઝેરી દવા પી જીવન ટુંકાવતા પરિવારમાં અરેરાટી

આજીડેમ ચોકડી પાસે આવેલા તુલશીપાર્કનાં બાવાજી યુવાનને પ્રેમીકા સાથે ઝઘડો થતા ઝેરી દવા પી આપઘાત કર્યાનું પોલીસમાં નોંધાયું છે. બાવાજી યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઈ છે.

પ્રાપ્ત વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે વેલનાથ પાન નજીક તુલશીપાર્ક ૧માં રહેતો અમૃતભાઈ કાનાભાઈ ગોસ્વામી ઉ.૨૭ બાવાજી રાત્રે પોતાના ઘરે હતો ત્યારે મોઢામાથી ફીણ નીકળતા ઘરના સભ્યોએ સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં ફરજ પરનાં ડોકટરે તેને તપાસી શરીરમાં કોઈ ઝેરની અસર થતા મૃત જાહેર કર્યો હતો.

મૃતક અમૃતભાઈને ચુનારાવાડમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હોય અને જેના કારણે બે મહિના પહેલા યુવતી અને તેના પરિવાર દ્વારા અમૃત સામે પોલીસ કેસ પણ કરેલો હોય અને છેલ્લા બે મહિનાથી યુવતી તરફથી કોઈ દબાવ આવતા તેની મુંઝવણનાં કારણે યુવાને વખ ઘોળ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.