Abtak Media Google News

દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીનો ૬૮મા જન્મદિન અને પ્રમુખસ્વામી સ્વામી મહારાજની ૯૮મી જન્મ શતાબ્દી મહોત્સવ નિમિતે સમગ્ર ગુજરાત દેશ અને વિશ્વ હરિયાળું બને તે માટે સમાજના અને સમાજના લોકો પ્રકૃતિ તરફ વળે તે માટે ૬૮૦૦૦ તુલસીના છોડનું વિતરણ કાલાવડ રોડ સ્થિત બીએપીએસ મંદિરના સભાગૃહમાં કરવામાં આવ્યું હતુ.

Advertisement

આ પ્રસંગે અપૂર્વમુની સ્વામીએ જણાવ્યું હતું કે મહોત્સવની ઉજવણી નિમિતે સમગ્ર શહેર, રાજ્ય, દેશ અને દુનિયા લીલીછમ હરિયાળી બને. જેથી સમાજના લોકોને સારી તંદુરસ્તી અને સારુ સ્વાસ્થ્ય મળી રહે.

આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ  બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશનર સિર્દ્ધા ખત્રી સંતો-મહંતો બ્રહ્મર્તી સ્વામી  નારાયણ ચરણ સ્વામી, અગ્રણી પ્રદીપભાઈ ડવ તા લાર્ભાથીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.