Abtak Media Google News

બે યુવાનો ગંભીર રીતે ઘાયલ: સારવાર માટે મહુવા હોસ્પિટલમાં ખસેડાયા

રાજુલાના જાફરાબાદના વાઢેરા રોડ પર સામસામા બે બાઈક અથડાતા બે વ્યકિતના મોત નિપજયા છે. જયારે બે વ્યકિતઓને ગંભીર ઈજા થવા પામી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બે લોકોનાં મોતથી ભારે કરૂણાંતીકા વ્યાપી જવા પામી છે.

જાફરાબાદ તાલુકાના વઢેરા રોડ ઉપર સામસામે બે બાઈક અથડાતા વિજયભાઈ રતીભાઈ ગોરડીયા ઉ.૫૫ તથા કિશનભાઈ પાંચાભાઈ બારૈયા ઉ.૨૦નું મોત નિપજયું છે. જયારે બીજા બે લોકો ઘનરાજભાઈ જીવરાજભાઈ બારૈયા ઉ.૧૮ રે. જાફરાબાદ અને હરેશભાઈ ‚ખડભાઈ પરમાર ઉ.૨૧ રે. વઢેરા રે. જાફરાબાદને ગંભીર ઈજા થતા સૌ પ્રથમ જાફરાબાદ હોસ્પિટલ અને ત્યાંથીરાજુલા અને રાજુલાથી મહુવા રીફર કરવામાં આવેલ છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ ગાડી નં. જી.જે. ૧૪-એબી ૩૨૫૧ સ્પ્લેન્ડર તથા જી.જે. ૧૫ એ.એસ. ૩૭૯૫ ડીલ્કસ હોન્ડા બંને ગાહીઓ જાફરાબાદ વઢેરા રોડ ઉપર સામસામે અથડાતા વિજયભાઈ ગોરડીયાતથા કિશનભાઈ બારૈયાનું અકસ્માત સ્થળે જ મોત થયેલ છે જયારે બીજા બે યુવાનો ધનરાજ જીવરાજ , હરેશ રૂખડ, કિશન પાંચાને ગંભીર ઈજા થયેલ હોય સૌ પ્રથમ જાફરાબાદ અને ત્યાંથી રાજુલા રીફર કરેલ હતા અને રાજૂલાથી ત્રણેય ને મહુવા રીફર કરવામાં આવેલ છે. જયારે જાફરાબાદથી રાજુલા એમ્બ્યુલન્સમાં લાવતા હતા ત્યારે હિડોરાણા પુલ પર ઈન્ગલ નીચે લગાડેલ હોય જેથી એમ્બ્યુલન્સને વાયા વડ દલીડીયા થઈને રાજુલા એમ્બ્યુલન્સ લાવવી પડેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.