Abtak Media Google News

રાજુલામાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે છે. જેમાં 2500 લોકોનો ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગમાં નોનવેજ બિરયાની અને દૂધીનો હલવો ખાતા જ 15 બાળકો સહિત 200થી વધુ લોકોને ફૂડ પોઈઝનીંગની અસર થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના રાજુલા તાલુકાના ડુંગર ગામની છે જ્યાં રફીકભાઈ જાખરાના ઘરે લગ્ન પ્રસંગ દરમિયાન ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નોનવેજ બિરયાની અને દૂધનો હલવો બનાવવામાં આવ્યો હતો. 2500 વધુ લોકોનું ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો અને લોકોએ ભોજન લીધું હતું. 200 જેટલા લોકોને ફૂડ પોઈઝનીંગની અસર થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.

આ મામલે રાજુલા સરકારી હોસ્પિટલના ડોક્ટરોને હાજર રહેવા આદેશ કરવામાં આવ્યા હતા અને અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી સીંગ સાહેબ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા તેમજ બ્લોક હેલ્થ ઓફિસર ડો. કળસરિયા પણ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. ડુંગર પોલિસ સ્ટેશનના પી એસ આઈ પણ પોતાના પોલિસ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્યાથી રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે જરૂરી કાર્યવાહી કરવા અને નિવેદન લેવા માટે આવી પહોંચ્યાં હતાં.

આ ઘટના મા 200 ઉપરાંત જેમા મોટી ઉંમરના વયસ્ક સ્ત્રી પુરૂષો થી લઈ ને 1 વર્ષ થી લઇ 15 વર્ષ સુધીના 23 બાળકો અને એક માત્ર 9 મહિનાનું નાનુ બાળક તેમજ મહિલાઓને પણ અસર થઈ હતી. આ ઘટનાની જાણ થતા રાજુલા તાલુકા આરોગ્ય વિભાગની ટીમ સહિત કર્મચારીઓ દોડી ગયા હતા અને ડુંગર પી એચ સી સેન્ટર ખાતે દર્દીઓને સારવાર આપવાનુ શરૂ કરાયું હતું આ ઉપરાંત 108 અને ખાનગી વાહન મારફતે રાજુલા વિક્ટર સાવરકુંડલા મહુવા શહેર આસપાસની હોસ્પિટલોમાં દર્દીઓને ખસેડવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.