Abtak Media Google News

ભૂજ સ્વામિનારાયણ મંદિર, આયોજીત નરનારાયણ દ્વિ-શતાબ્દી મહોત્સવ પ્રસંગે ગૌ-મહિમા કૃષિ સંમેલનમાં સહભાગી થતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે તે દિશામાં સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશા કાર્યરત છે. જળ સંરક્ષણ, વૃક્ષારોપણ, આપત્તિ સમયે બચાવ કામગીરી, લોક સ્વાસ્થ્ય જેવા માનવતાના કાર્યોમાં સ્વામિનારાયણ સંપ્રદાય પ્રથમ હરોળમાં હોય છે એમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કચ્છ જિલ્લાના ભુજ ખાતે સ્વામિનારાયણ મંદિર આયોજિત નરનારાયણ દ્વિ-શતાબ્દી મહોત્સવ પ્રસંગે ગૌ-મહિમા કૃષિ સંમેલનમાં કહ્યું હતું.

Advertisement

200 વર્ષ પહેલાં માનવતાની સેવા કાજે સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ગૌ-માતા સંરક્ષણ અને સંવર્ધન સાથે ગાય આધારિત ખેતીનો વ્યાપ વધારવા સ્વામિનારાયણ સંપ્રદાય સતત માર્ગદર્શન અને સહયોગ આપે છે. લોકોની સેવા જ ઈશ્વરની પૂજા છે, એમ જણાવીને રાજ્યપાલ એ સંપ્રદાયની કામગીરી બિરદાવી હતી. ગૌ – મહિમા પ્રદર્શનને અદભુત ગણાવીને તેમણે જણાવ્યું હતું કે, આ પ્રદર્શન ગાય પ્રત્યે શ્રદ્ધા પેદા કરનારું છે.

રાજ્યપાલએ ધનનો ઉપયોગ પરોપકારમાં કરવો જોઈએ એવો અનુરોધ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના ભુજના માનવ કલ્યાણના સેવાના કાર્યોની પ્રસંશા કરી હતી. તેઓએ ઉમેર્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રેરણાથી લાખો ખેડૂતો મારફતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે  ગાય આધારિત ખેતી કેવી રીતે કરી શકાય તેના વિશે વિસ્તૃત રીતે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

રાસાયણિક ખેતીથી જમીન બિન ઉપજાઉ બની રહી છે આથી ગાય આધારિત ખાતર કે છાણનો ઉપયોગ કરવા માટે તેઓએ અનુરોધ કર્યો હતો. રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળીએ તો પાક ઉત્પાદનમાં ઘટાડો આવે છે તે વાતને મિથ્યા ગણાવીને લાંબા ગાળે પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે રાજ્યપાલશ્રીએ છણાવટ કરી હતી. સમગ્ર રાજ્યમાં 10-10 ગામના ક્લસ્ટર બનાવીને ગાય આધારિત ખેતીનો વ્યાપ વધારવા સંકલન કરીને કામગીરી કરવામાં આવી રહી છે, તેના વિશે તેઓએ માહિતી આપી હતી.

આ પ્રસંગે રાજ્યપાલ એ ગાય આધારિત ખેતી ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા ખેડૂત શ્રી દિનેશભાઈ વેલાણીનું પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કર્યું હતું. પંચગવ્ય નિર્મિત ઔષધિઓની ભેટ ખેડૂતોને આપી હતી.

આ પ્રસંગે આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ,  લાલજી મહારાજ, મહારાજ વ્રજેન્દ્રપ્રસાદજી, મહંત   ધર્મનંદનદાસજી, મહંત   જાદવજી ભગતજી, ઉપ મહંત   ભગવતજીવનદાસજી, સતગુરુ   હરિદાસજી, સ્વામી દેવચરણદાસજી, ભુજ મંદિર ના કોઠારી સ્વામી દેવ પ્રકાશદાસજી, સ્વામી સુકદેવસ્વરૂપદાસજી, સ્વામી દેવચરણદાસજી,

ભુજના ધારાસભ્ય  કેશુભાઇ પટેલ, કચ્છ કલેકટર  અમિત અરોરા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક  સૌરભ સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિ, ભુજ પ્રાંત અધિકારી   મેહુલ બરાસરા, ભુજ ગ્રામ્ય મામલતદાર   વિવેક બારહટ, અગ્રણીઓ અને ગૌ-મહિમા પ્રદર્શની તૈયાર કરનાર મેઘજીભાઈ હિરાણી, સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારી મુળજીભાઈ શિયાણી, જાદવજીભાઈ ગોરાસીયા, સલાહકાર સમિતિ ના   રામજીભાઈ વેકરીયા, અન્ય ટ્રસ્ટી મહોદય ઓ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તથા બહોળી સંખ્યા માં દેશ વિદેશના  હરી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા  છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.