Abtak Media Google News

ભકિતનગર સ્ટેશન ઉપર પશ્ર્ચિમ રેલવે મંડળ દ્વારા ૧૫મી સપ્ટેમ્બરથી ૨ ઓકટોબર સુધી સ્વચ્છતા હી સેવા પખવાડીયાની ઉજવણી કરવામાં આવી છે.

જેમાં આજના દિવસે સેવા દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી. રાજકોટ રેલવેના પી.બી.નિનાવે, એસ.એસ.યાદવ સહિતના અધિકારીઓ દ્વારા રેલવે પરિસરને સ્વચ્છ રાખવા યાત્રીઓને અનોખી રીતે સ્વચ્છતાના સંદેશો આપતા વૃક્ષોના રોપા-છોડ ભેટમાં આવી રેલવે સ્ટેશનો ઉપર ગંદકી ન ફેલાવવાના વચન માંગ્યા હતા તો ટબુકડા રેલ યાત્રીઓને કચરો ડસ્ટબીનમાં જ નાખવાની શીખ સાથે ચોકલેટ આપવામાં આવી હતી. તેમજ રેલવે કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાનમાં રવિન્દ્ર શ્રીવાસ્તવ, અંશુમાલી કુમાર સહિતના રેલવે અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.