Abtak Media Google News

નવી હોસ્પિટલમાં 24 કલાક ટુ ડી ઇકો દ્વારા હ્રદયની સોનોગ્રાફીની સેવા ઉપલબ્ધ

શહેરના નામાંકિત જાણીતા ક્રિટીકલ કેર તેમજ પોઇઝનીંગ કેસ સેન્ટર ડો. બ્રિજેશ માંડીયાની ન્યુ લાઇફ હોસ્પિટલનું વિદ્વાન સાધુ, સંતો સમાજ શ્રેષ્ઠીઓ રાજકીય આગેવાનો અને દર્દીઓની હાજરીમાં નવ પ્રસ્થાન સંમ્પન થયું છે.

ડો. બ્રિજેશ માંડીયાની ન્યુ લાઇફ હોસ્પિટલનું શહિદ અર્જુન રોડ, વિપુલ ડાઇનીંગ હોલ વાળી શેરીમાં જુનાગઢના પૂજય મહંત યોગી સ્વરુપદાસ સ્વામી, ઉપલેટાના મંદીરના મહંત પુજય હરિવલ્લભ સ્વામી, તેમજ માંડીયા પરિવારની લાડકવાયી દિકરીઓ આરના અને કેયુરીના હસ્તે નવ પ્રસ્થાન કરવામાં આવેલ હતું. આ તકે પૂર્વ સાંસદ હરિભાઇ પટેલ, પૂર્વ મેયર ચીમનભાઇ સાપરીયા, ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયા, સમાજ શ્રેષ્ઠીઓ છગનભાઇ સોજીત્રા, ધરણાંતભાઇ સુવા, વિક્રમભાઇ સુવા, જગદીશભાઇ ગણાત્રા, મુકેશભાઇ ગજજર, નીતીનભાઇ અધેરા, દાનાભાઇ ચંદ્રવાડીયા, અમીતભાઇ શેઠ, નીલુભાઇ ગાંધીયા, નેઇમભાઇ પારા મનીષભાઇ કાલરીયા હારુનભાઇ માલવીયા અલ્પેશભાઇ વોરા, ભરતભાઇ રાણપરીયા, અજય જાગાણી, ડો. રોહિત ગજેરા, ડો. પિયુષ કણસાગરા, ડો. પ્રતિક ભાલોડીયા, ડો. આશિષ ધેટીયા, ડો. કૃણાલ ભાલોડીયા, ડો. સુનીલભાઇ ભારાઇ, ડો. દિવ્યેશ પરમાર, ડો. સાજીદ હિગોરા, સહીત શહેરના  નામાકિત આગુેવાનો વેપારીઓ, ઉઘોગપતિઓ, અધિકારીઓ હાજર રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.