Abtak Media Google News

કેન્દ્ર સરકારે 15 જુલાઈથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોરોનાનો બૂસ્ટર ડોઝ ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે. આઝાદીના અમૃતકાળ પ્રસંગે સરકારે 15 જુલાઈ, 2022થી આગામી 75 દિવસ સુધી 18 કે તેનાથી વધુ ઉંમરના બધા લોકોને સરકારી કેન્દ્રો પર મફતમાં કોરોનાનો બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે વાંકાનેર રસીકરણ વિભાગમાં પ્રીકોશન ડોઝ પુરા થઈ ગયા છે.

વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં આજરોજ પ્રિકોઝન ડોઝ ન આવતાં વેકસીનેશન બંધ રહ્યું હતું. રસીકરણ વિભાગ સૂમસામ ભાસતો હતો. ક્યારે ડોઝ આવશે તેવો જવાબ આપવા માટે પણ કોઈ આરોગ્ય કર્મી ફરક્યા નહોતા તેવા આક્ષેપ સ્થાનિકો દ્વારા લગાડવામાં આવી રહ્યા છે. ડોઝ લેવા આવનાર વ્યક્તિને જવાબ આપવા વાળું પણ કોઈ ન હોય અનેક લોકો ને ધરમ ધકો થયો હતો

જોકે આ બાબતે જિલ્લામાંથી ડોઝ આવ્યાં નહોતા ત્યારે આજ રોજ વેકસીનેશન બંધ રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.