Abtak Media Google News

વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી ભારતી વિદ્યાલયમાં સ્ટુડન્ટની ઘાતકી હત્યાથી ચકચાર મચી જવા પામી છે. સ્કૂલ પાસેના મંદિરની છત પર સ્કૂલ બેગમાંથી ચાકૂ મળી આવતા સ્કૂલના જ કોઇ સ્ટુડન્ટે હત્યા કરી હોવાની પોલીસને શંકા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી ભારતી વિદ્યાલયના શૌચાલયમાંથી નવમાં ધોરણમાં ભણતા દેવ ભગવાનદાસ તડવી નામના સ્ટુડન્ટનો મૃતદેહ આજે બપોરના સમયે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે તપાસ હાથ ધરી હતી. સ્ટુડન્ટને પેટ અને ગળાના ભાગે ચાકુના ઘા માર્યા બાદ દિવાલ સાથે માથુ પછાડીને હત્યા કરી દેવામાં આવી હતી.

ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પણ સ્ટુડન્ટના મૃતદેહને જોઇને સ્તબ્ધ થઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસમાં રહેતા લોકોના ટોળા સ્કૂલમાં એકત્ર થઇ ગયા હતા. પોલીસે ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. અને પોલીસે સ્કૂલ તરફનો રસ્તો પણ બંધ કરાવી દીધો હતો.

શ્રી ભારતી વિદ્યાલયની દિવાલ પાસે આવેલા મંદિરમાંની છત પરથી સ્કૂલ બેગમાંથી ચાકૂ મળી આવ્યુ હતુ. જેથી કોઇ સ્ટુડન્ટે જ આ સ્ટુડન્ટની હત્યા કરી હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.