Abtak Media Google News

મોદી સ્કુલના શિક્ષણવિદ રશ્મીભાઈ મોદી તથા જીવદયાપ્રેમી કિશોરભાઈ કોરડીયા રહ્યા ઉપસ્થિત

જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાપ્રેમી, ક‚ણાપ્રેમી સ્વ. વસંતબેન નટવરલાલ મોદી ને શ્રધ્ધાસુમન અર્પણ કરવા રાજકોટ મહાજનની પાંજરાપોળમાં ગૌમાતાઆને ૩૦૦ કિલો લાડવા અર્પણ કરવામાં આવ્યા હતા જેમાં સમગ્ર મોદી પરિવાર, જાણીતા શિક્ષણવિદ મોદી સ્કુલનાં રશ્મીભાઈ મોદી તથા જીવદયા માટે પોતાનું સમગ્ર જીવન અર્પણ કરનારા એવા કિશોરભાઈ કોરડીયા ઉપસ્થિત રહ્યા હતા. પાંજરાપોળના મેનેજર અ‚ણભાઈ દોશી તરફથી કામદાર ભાઈઓ બહેનો તથા ભૂલકાઓને ગાંઠીયા, જલેબીનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. જૈન સોશ્યલ વેસ્ટ ગ્રુપ અને કમીટી મેમ્બર્સ તેમજ પ્રમુખ હર્ષદભાઈ મહેતા તરફથી ૨૦૦ જેટલા ઝુપડપટ્ટીના ભાઈઓ બહેનોને છોલે પૂરી અને કેરીના રસનું જમણ જમાડવામાં આવ્યું હતુ.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપેનભાઈ મોદી, મુકેશભાઈ બાટવીયા, અ‚ણભાઈ દોશીના કુશળ માર્ગદર્શન હેઠળ ભીખુભાઈ ભરવાડા પ્રકાશ મોદી, નીરવ સંઘવી, રાજુભાઈ મોદી, ભરત બોરડીયા, પારસ મોદી, રમેશ દોમડીયા, હિમાંશુ ચીનોય, દિનેશભાઈ વોરા, હર્ષદભાઈ મહેતા, હિતેશભાઈ દોશી, આરતીબેન દોશી, સંજયભાઈ મહેતા, યોગેશભાઈ શાહ, અ‚ણ નિર્મળ, પરીનભાઈ પારેખ હેમા મોદી, અલ્કાબેન બોરડીયા, પૂજારાભાઈ હીરેનભાઈ કામદાર, જયદીપ ભરવાડા, ભરતભાઈ પારેખ, કીર્તીભાઈ પારેખ, સુરીલ મોદી તેમજ જંકશન પ્લોટ યુવા મંડળના સભ્યો જહેમત ઉઠાવેલ હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.