Abtak Media Google News

શાકાહારી આહારના ઘણા ફાયદાઓ છે: માંસાહારથી હાઇબ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ અને સ્થૂળતામાં વધારો થાય: શાકાહારીઓમાં મૃત્યુનું જોખમ ઓછું હોય છે: 1978થી શાકાહારી દિવસ ઉજવાય છે

ખુશી, કરૂણા અને જીવન વૃધ્ધી માટે શાકાહારી ખોરાક જરૂરી: એક સુંદર દુનિયા નિર્માણ કરવામાં મદદ કરીને શાકાહારી આહારના ફાયદા બીજાને જણાવો

દુનિયામાં સૌથી શ્રેષ્ઠ આપણી ગુજરાતી થાળી ગણાય છે. જેમાં લગભગ દરેક પ્રકારના તત્વનો સમાવેશ થાય છે. તમને જાણીને નવાઇ લાગશે પણ ચીન જેવો માંસાહાર દેશ પણ ચંદ્રમાસમાં બે વાર શાકાહારી ખોરાક લે છે. આજથી 70 વર્ષ પૂર્વે પણ શાકાહારીની ચળવળ ઉપડી હતી. મહાત્મા ગાંધીએ અહિંસાના સંદેશ સાથે દયા, કરૂણાની વાત કરી હતી. આ ચાલુ ઓક્ટોબર માસને શાકાહારી મહિનો પણ કહેવાય છે. આપણાં દેશમાં આખો માસ શાકાહારી ખોરાકનું મહત્વ, ફાયદા વગેરેનો પ્રચાર-પ્રસાર થાય છે. સ્વસ્થ જીવનનો આધાર જે શાકાહારી ખોરાક છે.

Advertisement

માંસાહાર કરનારને હાઇબ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ અને સ્થૂળતા જેવી અનેક સમસ્યાઓ નડે છે. શાકાહારીને મૃત્યુનું જોખમ પણ ઓછું રહે તે ઉપરાંત તે માંસાહારીઓ કરતાં એવરેજ 10 વર્ષ વધુ જીવે છે. સુંદર દુનિયા નિર્માણ કરવામાં પણ શાકાહારીઓનું મહત્વ વધારે છે. આપણે સૌએ તેના ફાયદા બીજાને જણાવી મુવમેન્ટને આગળ વધારવી જોઇએ. વૈશ્ર્વિકસ્તરે જળ, જમીન, જંગલો, જાનવરોની સુખાકારી માટે પણ હવે દુનિયાના ઘણા દેશો શાકાહારી ખોરાક તરફ વળી રહ્યાં છે.

વેજિટેરિયન ખોરાક વધુ સંતુલિત છે. માંસાહાર કરતાં શાકાહારમાં મળતા ન્યુટ્રિશન્સ વધારે ચડિયાતા છે. કસાયેલું સિક્સ-પેક એબ્સ વાળું બોડી બનાવું હોય તો અનાજ, કઠોળ, શાકભાજી, ફળ-ફળાદી આપણાં માટે સંપૂર્ણ ખોરાક છે. સંતુલિત શાકાહારી આહાર જ શરીરને મજબૂત બનાવે છે.

શાકાહારનાં સેવનથી શરીરમાં નકામી ચરબી જમા નથી થતી. આવો ખોરાક લાંબા આયુષ્યનું વરદાન આપે છે. આપણાં પાચનતંત્ર માટે પણ શાકાહારી આહાર શ્રેષ્ઠ છે. નોનવેજમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી તે ખાનારાને પાચનની ઘણી તકલીફ રહે છે. પ્લાન્ટ આધારિત ખોરાકના ફાયદામાં સ્વસ્થ હૃદ્ય, વજન ઘટાડવામાં મદદ, ડાયાબીટીસ નિવારણ જેવી વિવિધ સમસ્યાથી બચી શકાય છે.

1લી ઓક્ટોબરે વિશ્ર્વ શાકાહારી દિવસ તરીકે ઉજવાય છે. અમેરિકાના શાકાહારી સમાજની માંગણીને કારણે દર વર્ષે આ દિવસ ઉજવાય છે. તમને જાણીને નવાઇ લાગશે કે ચીનમાં ચંદ્રમાસમાં બે વાર શાકાહારી ખોરાક લેવાય છે. એકમ અને પૂનમે સ્થાનિક શાકાહારી રેસ્ટોરન્ટમાં ભીડ જોવા મળે છે. જો કે આ પ્રથા તેની ધાર્મિક માન્યતા મુજબની છે. મુખ્યત્વે તો સમાજમાં ખુશી, કરૂણા અને જીવનવૃધ્ધિની સંભાવનાને વેગ આપવા ઉજવાય છે.

જીવનશૈલીમાં નૈતિકતા, પર્યાવરણીય, સ્વાસ્થ્ય અને માનવીય લાભો અંગે જાગૃતિ લાવે છે. અમુક દેશમાં તો “મીટ લેસ મન્ડે” લોકોના આરોગ્ય અને પૃથ્વીના સંતુલન માટે મનાવાય છે. જનજાગૃતિ માટે વિવિધ પોસ્ટરો, પ્રચાર-પ્રસાર, ટીવી, ફિલ્મી સ્ટારો દ્વારા ટીવી પ્રચાર વિગેરે દ્વારા શાકાહારી બનવા અપીલ કરાય છે.

એક સુંદર દુનિયા નિર્માણ કરવામાં મદદ કરોને શાકાહારીના ફાયદા બીજાને જણાવીને તમે તેને જોડો તો આજના દિવસે જરૂરી છે. શુધ્ધ શાકાહારી ભોજન પોષ્ટિક હોવાથી તમારી પ્રતિકારક શક્તિ વધારે છે. શરીરને જોઇતા તમામ વિટામીન- પ્રોટીન તેમાંથી મળે છે માટે તેવો ખોરાક ખાવો હિતાવહ છે. શાકાહારી ખોરાક લેનારને હૃદ્યરોગ, સ્ટ્રોક, કેન્સર જેવી બિમારીનું જોખમ ઘટી જાય છે. આવા લોકો અહિંસામાં માને છે. જાનવરોના જીવનની પરવાહ કરે છે અને ક્રૂરતાને સમાપ્ત કરે છે. કતલખાને રોજ કેટલાય જીવતા જાનવરોની હત્યા થાય છે. આજે દુનિયાભરમાં 10 વ્યક્તિ પૈકી 1 વ્યક્તિ શાકાહારી છે. વિશ્ર્વભરમાં ભારત પ્રતિ વ્યક્તિ સૌથી ઓછુ માસ વેંચાણનો દેશ છે.

વેજીટેબલ બર્ગર, ચીઝ પીજા જેવી વિવિધ આઇટમો ખૂબ જ ગુણકારી માંસ મુક્ત ભોજન વાનગી છે. શાકાહારી ભોજનમાં જે તત્વો છે તે માંસાહારમાં નથી માટે આરોગ્યપ્રદ રહેવા શુધ્ધ શાકાહારી બનવું જરૂરી છે. પ્રાચીનકાળમાં પણ શાકાહારીનો ઇતિહાસ જોવા મળે છે. આ વલણના ઉદ્ભવ માટે બૌધ્ધ ધર્મ અને હિન્દુ ધર્મના ધાર્મિક વિચારો હતો. શાકાહારી જીવનશૈલી અપનાવવાથી ઘણાં ફાયદાઓ છે.

વેજીટેરિયન શબ્દને “વિગન” પણ કહેવાય છે. પર્યાવરણને બચાવવા પણ શાકાહારીની મુવમેન્ટ તેજ કરવી જરૂરી છે. આજથી 70 વર્ષ પૂર્વ પણ શાકાહારીની ચળવળ ઉપડી હતી. મહાત્મા ગાંધીએ પણ અહિંસાનો સંદેશ આપ્યો હતો. લોકોમાં દયા ભાવ, કરૂણા, પ્રાણીપ્રેમ જેવા ગુણો વિકસે તે જરૂરી છે. વૈશ્ર્વિકસ્તરે ઝુંબેશ કરનાર પેટા (ઙઊઝઅ) સંઠગને એક નારો આપ્યો કે “જનાવર આપણા માટે પ્રયોગ, ખાવા, ખોરાક, પહેરવા કે મનોરંજનના ઉપયોગ માટે નથી” તેનું જતન કરવું પૃથ્વીવાસીની ફરજ છે.

માંસમાંથી મળતા તત્વો કરતાં આપણા શાકાહારી ખોરાક, કઠોળ, અનાજ, લીલાશાકભાજી, ફળ વિગેરેમાંથી પુષ્કરમાત્રામાં શરીરને મળે છે. શરીર સંતુલિત રાખવા તમામ બાબતો સૌથી વધુ શાકાહારી ખોરાકમાંથી મળે છે. આ ફિલ્મ સ્ટારો પહેલા નોનવેજ ખાતા પણ હવે શુધ્ધ શાકાહારી બની ગયા છે.

જેમાં અમિતાભ બચ્ચન, જેક્લીન ફર્નાન્ડીસ, આલિયા ભટ્ટ, કંગના રનૌત, અનુષ્કા શર્મા, સોનાક્ષી સિંહા, વિદ્યાબાલન, ફરહાન અખ્તર, શાહિદ કપૂર જેવા સ્ટારો લોકોને પણ અપીલ કરે છે કે તમે શાકાહારી બનો તેના ઘણા ફાયદા તમારા આરોગ્યના છે.

શાકાહારી ખોરાકના ફાયદા

શાકાહારી ડાયેટ ફાઇબરથી ભરપૂર હોવાથી પાચનક્રિયા મજબૂત કરે છે અને ઘણાં રોગોથી બચાવે છે. આ ખોરાકમાં ચરબીનું પ્રમાણ નહિવત હોવાથી વજન વધવાની સમસ્યા રહેતી નથી. શાકાહારી ખોરાકથી મેટાબોલીઝમ પ્રક્રિયા સારી રહેતા શરીરમાં ચરબી, સુગર ઓછી જમા થવાથી ડાયાબીટીસનું જોખમ ઓછું થાય છે. માંસાહારી કરતા શાકાહારી ખોરાક લેનારને મૂડ ડિસ્ટરબન્સની સમસ્યા ઓછી જોવા મળે છે.

લોકોમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધતું ન હોવાથી હૃદ્યને લગતા રોગો ઓછા થાય છે. શાકાહારી ખોરાક લેનારને થાક અને નબળાઇ લાગતી નથી.શાકાહારી ડાયેટમાં સ્વેટ ગ્લેન્ડ ઉત્તેજીત કરવા વાળા હોર્મોન વધારે હોવાથી પરસેવાની દુર્ગંધથી રક્ષણ થાય છે. તેમાં વિટામીન, મિનરલ્સ અને પાણી વધારે હોવાથી ચામડી સારી રહે છે.

કિડની, પથરી, બી.પી., કેન્સર જેવા રોગો ઓછા થાય છે. શાકાહારી ભોજન પોષકતત્વોથી ભરપૂર, સુપાચ્ય અને બિમારીને દૂર રાખવામાં સમર્થ છે. આ ખોરાકને પાચન કરવામાં શરીરની ઓછી ઉર્જા ખર્ચાય છે. આ ખોરાક આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આપણી ગુજરાતી થાળી તો સમગ્ર દેશ અને વિદેશોમાં પ્રિય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.