મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મોદી સરકારના બીજા કાર્યકાળનું સફળ અને પરિણામલક્ષી પ્રથમ વર્ષ પૂર્ણ થવા બદલ ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભાજપા માટે વોટ બેંકનું રાજકારણ નહીં પરંતુ દેશની એકતા, અખંડિતતા તેમજ સર્વભૌમત્વનું રક્ષણ અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના મંત્ર સાથે દેશના યુવા, મહિલા, ખેડુત, ગરીબ સહિત જનસામાન્યનું કલ્યાણ એજ લક્ષ્ય છે. કલમ ૩૭૦/૩૫એનું નિર્મૂલન, નાગરિકતા સંશોધન કાયદો, ત્રિપલ તલાક નાબુદી, અર્થવ્યવસ્થા વેગવંતી બનાવવા માટે રૂપિયા ૨૦ લાખ કરોડનું આર્થિક પેકેજ, કિસાન સન્માન નિધિ, સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટનું નિર્માણ તેના ઉદાહરણ છે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે સમગ્ર દેશ મકકમતાપૂર્વક લડયો છે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમયસર લેવામાં આવેલા અસરકારક પગલાના પરીણામ સ્વરૂપ આપણે કોરોના સંક્રમણને મર્યાદિત રાખવામાં સફળ થયા છીએ. આપણે સૌ કોરોનાને નાથવા માસ્ક તેમજ સેનીટાઈઝરનો ઉપયોગ કરીએ, સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ, તમામ નિયમોનું પાલન કરીએ.
Trending
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા