Abtak Media Google News

રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની જપ સાધના..

વિધ્ન નિવારક મહા પ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રને સિધ્ધહસ્ત કરનારા રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના બ્રહ્મનાદથી લયબધ્ધ સ્વરે આ સ્તોત્રની આધિ-વ્યાધિ હરનારી અને શાંતિ-સમાધિ બક્ષનારી એક વિશિષ્ટ જપ સાધનાનું આયોજન બીજી જુલાઇને રવિવાર સવારના ૮:૩૬ કલાકના માંગલિક મુહુર્તે પાવનધામ-કાંદિવલી ખાતે કરવામાં આવ્યું છે.

વિશેષરૂપે, આગામી દિવસોમાં રાષ્ટ્રસંત પુજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે દીક્ષીત થનારા નવ મુમુક્ષુ આત્માઓની સંયમ ભાવનાનો સન્માન સમારોહ સવારના ૦૯.૩૦ કલાકે મુંબઇભરના શ્રી સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘો તેમજ શ્રી જૈન જાગૃતિ સેન્ટર, શ્રી જૈન સોશ્યિલ ગુ્રપ તથા શ્રી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન સભા અને શ્રી સમસ્ત કાઠીયાવાડી જૈન સમાજના ઉપક્રમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવનાર છે.

આ પ્રસંગે જીવદયા રત્ન એવા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું સન્માન મુંબઇભરના શ્રી સમસ્ત જૈન સંઘો, જૈન સંસ્થાઓ તેમજ ગુજરાતી સંસ્થા દ્વારા કરવામાં આવશે. સવારના ૦૮.૩૬ના મંગલ મુહુર્ત પ્રારંભ થનારા આ અપૂર્વ અવસરનો લાભ લેવા સર્વને શ્રી પાવનધામ સ્થાનકવાસી જૈન સંઘ , બી.સી.સી.આઇ. ગ્રાઉન્ડ, મહાવીર નગર ખાતે પધારવા વિનંતી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.