Abtak Media Google News

થોડા દિવસોથી હવામાનમાં આવી રહેલા પલ્ટાને કારણે સ્વાઇન ફ્લૂ અને વાઈરલ ઇન્ફેકશનને લીધે દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે જેથી રાજકોટ આરોગ્ય શાખા દ્વારા ઠેર-ઠેર પ્રજાના સ્વાથ્યને લઈને સતત ધ્યાન અપાઈ રહ્યું છે અને જન જાગૃતિના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આજે રાજકોટ તાલુકાના સરધાર ખાતે આવેલા પ્રધાન મંત્રી શ્રમયોગી પેન્સન યોજના અંતર્ગત સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની રાજકોટ જીલ્લા કલેકટર રાહુલ ગુપ્તા તેમજ ડી.ડી.ઓ રાણાવસીયા ત્થા ટી.ડી.ઓ પી.જી.જાડેજા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.મુલાકાત સમયે રાજકોટ તાલુકા પંચાયતના સભ્ય ચેતનભાઈ પાણ તેમજ સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કર્મચારી સાથે રહ્યા હતા.તેમજ અધિકારીઓ દ્વારા કર્મચારી તેમજ ગ્રામજનોના પશ્નો સાંભળી અને તેના નિવારણ આગે ચર્ચા પણ કરવામાં આવી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.