Abtak Media Google News

વીવીપીના સ્થાપક પ્રમુખ પૂ. પ્રવિણકાકા મણીઆર તેમજ મહાન દેશભકત લક્ષ્મણરાવ ઈનામદારની જન્મતિથિ નિમિતે વીવીપી પરિવારથી સ્મરણાંજલી આપતા મહારકતદાન કેમ્પનું આયોજન વીવીપીના એન.એસ.એસ. તેમજ યુથ બ્રીગેડના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતુ.

આ મહારકતદાન કેમ્પમાં કુલ ૧૯૪ બોટલમાં ૫૮૨૦૦ સીસી દાન દ્વારા મળેલુ રકત રાજકોટની સરકારી હોસ્પિટલમાં સરકારની સહાયથી નિશુલ્ક રકત જરૂયાતમંદોને આપતી બ્લડ બેંક તથા રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંકમાં વીવીપીનાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મેમ્બરો વગેરેએ રકતદાન કર્યું હતુ.

તમામ રકતદાતાઓને મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, સંસ્થાના પ્રિન્સીપાલ ડો. જયેશભાઈ દેશકરે રકતદાતાઓ અને એન. એસ. એસ. તથા યુથ બ્રીગેડના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રિન્સીપાલ ડો. જયેશભાઈ દેશકરનાં માર્ગદર્શન હેઠળ પ્રો.જે.પી. અજમેરા, પ્રો. અંજુબેન વાસદેવાણી, પ્રો. સુમિત કુમાર ત્રિવેદી, પ્રો. નિવિદ લીબસીયા, પ્રો. અજીંકીયા પટવર્ધન, પ્રો.કિંજલ રાંક, નીશા ભંડેરી, કિશન ભાયાણી, આર.ડી. રાવતભાઈ એન.એસ.એસ. ટીમના હાર્દિક ગોહેલ રોહિત મહેતા ભાર્ગવ ધામેલીયા, ભાર્ગવ શુકલ, યુથ બ્રીગેડના નીલ મકવાણા, પાર્થ વસોયા, કુલદીપ વાણંદ તેમજ સરકારી હોસ્પિટલ સેવા મંડળના જાણીતા સેવાભાવી હિમાંશુભાઈ માંકડ, કિર્તીભાઈ મણીયાર, કિશોરભાઈ સંપટ અને તેજસભાઈએ જહેમત ઉઠાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.