Abtak Media Google News

વાંકાનેર, મોરબી આઈટીઆઈ અને રોજગાર કચેરી દ્વારા આયોજિત એપ્રેન્ટીસ ભરતી મેળામાં 500 થી વધુ ઉમેદવારો અને 35 ઔદ્યોગિક એકમોના માલિકો હાજર રહ્યા.

કલેકટર આર.જે.માકડીયાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાના અઘ્યક્ષસ્થાને તા. 19ને શુક્રવારે ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે યોજવામાં આવ્યો હતો. એપ્રેન્ટીસ ભરતી મેળામાં મોરબી જિલ્લા વિકાસ અધિકારી મોરબી, વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, રોજગાર કચેરી મોરબીના અધિકારીઓ સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

ગાયત્રી મંદિર ખાતે યોજાયેલા એપ્રેન્ટીસ ભરતી મેળામા ૧૦ અધિકારીઓ, ૧૦ મહાનુભાવો, ૩૫ નોકરીદાતા અને ૫૧૦ ઉમેદવારો હાજર રહ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.